December 1, 2025
Vartman Pravah
તંત્રી લેખ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય શતરંજના શરૂ થયેલાદાવપેચ

  • ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’નીબની રહેનારી સ્‍થિતિ

22મી ફેબ્રુઆરી,2021ના ગોઝારા દિવસે 7 ટર્મના વિજેતા સાંસદ મોહનભાઈ ડેલકરે આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યા બાદ ખાલી પડેલી લોકસભાની ચૂંટણી માટે ઘણાં કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ખાલી પડેલી બેઠકની ચૂંટણી 6 મહિનાના નિયત સમયની અંદર યોજવાની જગ્‍યાએ વિલંબાતી ગઈ હતી. જેના કારણે ચૂંટણીની જાહેરાત આજે થશે, કાલે થશે એવી ગણતરી પણ મંડાઈ રહી હતી. છેવટે ભારતના ચૂંટણી પંચે 30મી ઓક્‍ટોબર, 2021ના રોજ ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડતા હવે પ્રદેશમાં રાજકીય સતરંજના દાવપેચ શરૂ થયા છે.
અપક્ષ તરીકે વિજેતા બનેલા મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્‍યુથી ખાલી પડેલ આ બેઠક માટે તેમના વિધવા કલાબેન ડેલકર અથવા સુપુત્ર અભિનવ ડેલકર પૈકી કોઈ એક દાવેદારી કરે એવી પ્રબળ સંભાવના છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટણી મોહનભાઈ ડેલકરની હયાતીમાં જનતા દળ(યુ)ના બેનર હેઠળ લડવામાં આવી હતી. ત્‍યારે હવે ડેલકર પરિવાર જનતા દળ(યુ)નું શરણું લે છે કે પછી અન્‍ય રાજકીય પક્ષ અથવા મોહનભાઈ ડેલકરની માફક અપક્ષ મેદાનમાં ઉતરે તેના ઉપર પણ રાજકીયસમીકરણનો મુખ્‍ય આધાર રહેશે. કારણ કે, કેન્‍દ્રમાં ભાજપની બહુમતિ સરકાર છે અને દાદરા નગર હવેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશનો એક જિલ્લો હોવાના નાતે વિકાસના ઘડતરની સીધી જવાબદારી કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહે છે. તેથી ડેલકર પરિવાર કઈ રણનીતિ અપનાવે તેના ઉપર પણ ચૂંટણીના પરિણામનો મદાર રહેશે.
દાદરા નગર હવેલીમાં ભાજપ કયા ઉમેદવારને ટિકીટ આપે તેના ઉપર ચૂંટણીની આક્રમકતાનો ખ્‍યાલ આવશે. હાલમાં ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી સ્‍થિતિ તમામ ઉમેદવારોની દેખાઈ રહી છે. જ્‍યાં સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’ની સ્‍થિતિ બનેલી રહેશે. ભાજપ માટે સૌથી મહત્ત્વની વાત કેન્‍દ્રમાં સરકારની છે અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી પ્રદેશમાં સરકારની સીધી દખલ વિકાસના કામો ઉપર રહેતી હોય છે. તેથી આ ચૂંટણીમાં સંભવિત દરેક મુદ્દાઓ પરપોટા બનવાની પુરી સંભાવના છે.
(ક્રમશઃ)

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment