December 14, 2025
Vartman Pravah
તંત્રી લેખ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય શતરંજના શરૂ થયેલાદાવપેચ

  • ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’નીબની રહેનારી સ્‍થિતિ

22મી ફેબ્રુઆરી,2021ના ગોઝારા દિવસે 7 ટર્મના વિજેતા સાંસદ મોહનભાઈ ડેલકરે આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવ્‍યા બાદ ખાલી પડેલી લોકસભાની ચૂંટણી માટે ઘણાં કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ખાલી પડેલી બેઠકની ચૂંટણી 6 મહિનાના નિયત સમયની અંદર યોજવાની જગ્‍યાએ વિલંબાતી ગઈ હતી. જેના કારણે ચૂંટણીની જાહેરાત આજે થશે, કાલે થશે એવી ગણતરી પણ મંડાઈ રહી હતી. છેવટે ભારતના ચૂંટણી પંચે 30મી ઓક્‍ટોબર, 2021ના રોજ ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડતા હવે પ્રદેશમાં રાજકીય સતરંજના દાવપેચ શરૂ થયા છે.
અપક્ષ તરીકે વિજેતા બનેલા મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્‍યુથી ખાલી પડેલ આ બેઠક માટે તેમના વિધવા કલાબેન ડેલકર અથવા સુપુત્ર અભિનવ ડેલકર પૈકી કોઈ એક દાવેદારી કરે એવી પ્રબળ સંભાવના છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટણી મોહનભાઈ ડેલકરની હયાતીમાં જનતા દળ(યુ)ના બેનર હેઠળ લડવામાં આવી હતી. ત્‍યારે હવે ડેલકર પરિવાર જનતા દળ(યુ)નું શરણું લે છે કે પછી અન્‍ય રાજકીય પક્ષ અથવા મોહનભાઈ ડેલકરની માફક અપક્ષ મેદાનમાં ઉતરે તેના ઉપર પણ રાજકીયસમીકરણનો મુખ્‍ય આધાર રહેશે. કારણ કે, કેન્‍દ્રમાં ભાજપની બહુમતિ સરકાર છે અને દાદરા નગર હવેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશનો એક જિલ્લો હોવાના નાતે વિકાસના ઘડતરની સીધી જવાબદારી કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહે છે. તેથી ડેલકર પરિવાર કઈ રણનીતિ અપનાવે તેના ઉપર પણ ચૂંટણીના પરિણામનો મદાર રહેશે.
દાદરા નગર હવેલીમાં ભાજપ કયા ઉમેદવારને ટિકીટ આપે તેના ઉપર ચૂંટણીની આક્રમકતાનો ખ્‍યાલ આવશે. હાલમાં ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી સ્‍થિતિ તમામ ઉમેદવારોની દેખાઈ રહી છે. જ્‍યાં સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી ‘જો’ અને ‘તો’ની સ્‍થિતિ બનેલી રહેશે. ભાજપ માટે સૌથી મહત્ત્વની વાત કેન્‍દ્રમાં સરકારની છે અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી પ્રદેશમાં સરકારની સીધી દખલ વિકાસના કામો ઉપર રહેતી હોય છે. તેથી આ ચૂંટણીમાં સંભવિત દરેક મુદ્દાઓ પરપોટા બનવાની પુરી સંભાવના છે.
(ક્રમશઃ)

Related posts

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ દ્વારા શરૂ કરેલું સમાજ પરિવર્તન

vartmanpravah

Leave a Comment