(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામા આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા સભ્ય ડો. છત્રસિંહ ચૌહાણના હસ્તે કરવામા આવ્યું હતું.
આ અવસરે મહારાષ્ટ્ર જન સેવા સંગઠનના પ્રમુખ શ્રી સુનિલ મહાજન, વેપારી એસોસિએશનના પ્રમુખસભ્યો, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ, કનુબી પાટીલ સમાજ પ્રમુખ, મહારાષ્ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘના પ્રમુખ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.