(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે પણ ઉચ્ચ સ્તરે કવાયત થઈ રહી હોવાની જાણકારી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશ ટંડેલે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આપી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના જણાવ્યા પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવાનાર હોવાની પણ માહિતી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશમાં લોકશાહી માળખાને વધુ સુદૃઢ કરવા માટે હંમેશા નવતર પ્રયોગો કરી રહ્યા છે અને નાના રાજ્યોનું ગઠન કરવું એ મોદી સરકારની પ્રાથમિકતા પણ રહી છે. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીના તર્જ ઉપર વિધાનસભા ગઠનની સંભાવના વધી રહી છે.