- પ્રખ્યાત ગીતકાર પ્રા. પ્રભાતભાઈ કુરકુટિયાએ આદિવાસી ભાષામાં ગીત રચી મહેશભાઈ ગાવિતને વિજયી બનાવવા આપેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત ગામ અને જંગલના આદિવાસી ઉપર વિશ્વાસ જતાવી તેમને દેશની પંચાયતમાં મોકલવાની તૈયારી કરી છે જે માટે દાદરા નગર હવેલીના સમગ્ર આદિવાસી સમાજમાં ઉત્સાહ અને આનંદની લહેર છે.
ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતના સમર્થનમાં ગામથી જંગલ સુધી સમર્થન વધારી રહ્યું છે. આ વખતે અમે સાચા આદિવાસીને સંસદમાં ચૂંટીને દમ લઈશુંની પ્રતિજ્ઞા હજારો આદિવાસી ભાઈ-બહેનોએ લીધી છે. જેમાં એક જાણીતા પ્રખ્યાત ગીતકાર પ્રા. પ્રભાતભાઈ કુરકુટિયા પણ છે. પ્રા. પ્રભાતભાઈએ આદિવાસી ભાષામાં ગીત લખીને શ્રી મહેશભાઈ ગાવિતની જીત માટે અનોખી ભેટ આપી છે. તેમણે લખેલા વારલી શબ્દોના ગીતમાં સમગ્ર જંગલ વિસ્તાર ઝૂમી ઉઠયું હતું.
પ્રા. પ્રભાતભાઈએ યુટયુબ ઉપર સૌથી વધુ લોકપ્રિય ગીત લખ્યા છે. ભાજપાએ જંગલ વિસ્તારમાંથી આવેલા શ્રી મહેશભાઈ ગાવિત જેવા શિક્ષિત યુવાનોને ઉમેદવારી આપી છે. દેશ માટે સમર્પિત આ યુવક ભારતીય રિઝર્વ બટાલીયનમાં લડતો રહ્યો હતો. આજેસમાજની સેવા માટે જોડાયો છે. તેમના પ્રચાર અભિયાનમાં પોતાનું યોગદાન આપવા માટે શ્રી પ્રભાતભાઈએ આ ગીતની રચના કરી છે. ભણેલા, શિક્ષિત, અનુભવી છે. જંગલ વિસ્તારના ઘરથી આવનારા ઉમેદવાર છે જે માટે આપણે શ્રી મહેશભાઈ ગાવિતને જિતાડવાના છે. જે આ ગીતનો આશય છે. ભાજપના કાર્યથી પ્રભાવિત થઈ શ્રી પ્રભાતભાઈ, ભાજપને અસંખ્ય કાર્યોનું વર્ણન કરતા, આદિવાસી શબ્દોમાં લખાયેલા ગીતનો અર્થ એવો થાય છે કે ‘મોદીજીનો માણસ ભાજપ સાથે ઉભો છે,
ભાજપના કામથી પ્રભાવિત શ્રી પ્રભાતભાઈ, ભાજપના અસંખ્ય કાર્યોનું વર્ણન કરતા, આદિવાસી શબ્દોમાં લખાયેલા ગીતનો અર્થ એવો છે કે ‘મોદીજીનો માણસ ભાજપ સાથે ઉભો છે, શ્રી મહેશભાઈ ગાવિતને જીતાડવા કમળના પ્રતિક ઉપરનું બટન દબાવવું પડશે.’
દાદરા નગર હવેલીના વિકાસ માટે શ્રી મહેશભાઈ ગાવિતને જીતાડવું પડશે. મોદી સરકારની સિદ્ધિઓ પર ગીતમાં કહેવામાં આવ્યું છે કે,‘ મોદીજીએ ગરીબોને ઘર આપ્યું, મોદીજીએ ગરીબોને રાશન આપ્યું, મોદીજીએ ગરીબોને ઉચ્ચ શિક્ષણ મેડિકલ કોલેજ આપી, એસી ઈલેક્ટ્રીક બસો રસ્તા પર દોડતી કરી દીધી છે. માત્ર ભાજપ જ વિકાસ કરી શકે છે, ભાજપના કાર્યકરો હંમેશા સેવામાં છે, જીવના જોખમે સેવામાં ઉપલબ્ધ, ભાજપ સાચો પક્ષ છે, અમારા વિશ્વાસ પરરહે છે’ આવા શબ્દોમાં ભાજપની કાર્ય કથા વર્ણવતા પ્રો. પ્રભાતભાઈએ કોલ આપ્યો છે કે – મોદીજીએ અમારા માટે ઘણું બધું કર્યું છે, તેથી અમે આ લોકસભા બેઠક મોદીજીને ભેટ આપવાની છે.