April 23, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દમણમાં આજે કોરોનાના 18 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 21 અને દીવમાં 0ર પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 219 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 107 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3617 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 1પ વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) સુરેશભાઈની ચાલ, દલવાડા, દમણ, (ર) જયંતિભાઈની ચાલ, ડોરી કડૈયા, દમણ (3) તમેસજી ચાલ, કડૈયા, દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાંકુલ 17 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-06, ભીમપોર-01, દુણેઠા-0ર અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-06 ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમાં નવા 21 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 139 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6012 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 417 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 21 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 232 નમૂના લેવામા આવ્‍યા હતા કુલ 21 રિપોર્ટ પાઝિટીવ આવ્‍યા છે. પ્રદેશમાં કુલ 21 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. 11 દર્દીઓ રિકવર થતા રજા આપવામાં આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યુ હતું. જેમાં આજે 991 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439429 અને બીજો ડોઝ 308927 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1615વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. ટોટલ 749971 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 02 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 09 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1242કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. આજરોજ 01 કોરોના મુક્‍ત થતા વ્‍યકિતને કોવિડની સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

vartmanpravah

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment