Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દમણમાં તા. 26/10/2021 થી 01/11/2021 સુધી ઉજવવામાં આવનાર ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-ર0ર1′ નિમિત્તે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓને અખંડિતતાના શપથ લેવડાવ્‍યા હતા.
આ અવસરે ડીઆઈજીપી, સચિવ (આરોગ્‍ય), નાણાં સચિવ, સચિવ (પીડબલ્‍યુડી), નિયામક-કમ-સંયુક્‍ત સચિવ (વિજિલન્‍સ) અને સચિવાલયના કર્મચારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ વર્ષે ‘સતર્કતા જાગૃતિસપ્તાહ-ર0ર1’ની થીમ સ્‍વતંત્રતા ભારત એટ 75 અખંડિતતા સાથે સ્‍વનિર્ભરતાનો છે. આ સપ્તાહ દરમિયાન તકેદારી વિભાગે ભ્રષ્‍ટાચાર સામે જનતામાં જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓમાં માટે પેઈન્‍ટિંગ અને સ્‍લોગન સ્‍પર્ધાઓ અને સરકારી કર્મચારીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. તમામ વિજેતાઓને રોકડ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
તા.26/10/2021થી 01/11/2021 સુધી તકેદારી જાગળતિ સપ્તાહ, 2021 દરમિયાન, નાગરિકો https://pledge.cvc.nic.in પર ઑનલાઇન અખંડિતતાની પ્રતિજ્ઞા લઈ શકે છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

Leave a Comment