April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દમણમાં તા. 26/10/2021 થી 01/11/2021 સુધી ઉજવવામાં આવનાર ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-ર0ર1′ નિમિત્તે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓને અખંડિતતાના શપથ લેવડાવ્‍યા હતા.
આ અવસરે ડીઆઈજીપી, સચિવ (આરોગ્‍ય), નાણાં સચિવ, સચિવ (પીડબલ્‍યુડી), નિયામક-કમ-સંયુક્‍ત સચિવ (વિજિલન્‍સ) અને સચિવાલયના કર્મચારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ વર્ષે ‘સતર્કતા જાગૃતિસપ્તાહ-ર0ર1’ની થીમ સ્‍વતંત્રતા ભારત એટ 75 અખંડિતતા સાથે સ્‍વનિર્ભરતાનો છે. આ સપ્તાહ દરમિયાન તકેદારી વિભાગે ભ્રષ્‍ટાચાર સામે જનતામાં જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓમાં માટે પેઈન્‍ટિંગ અને સ્‍લોગન સ્‍પર્ધાઓ અને સરકારી કર્મચારીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. તમામ વિજેતાઓને રોકડ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
તા.26/10/2021થી 01/11/2021 સુધી તકેદારી જાગળતિ સપ્તાહ, 2021 દરમિયાન, નાગરિકો https://pledge.cvc.nic.in પર ઑનલાઇન અખંડિતતાની પ્રતિજ્ઞા લઈ શકે છે.

Related posts

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

Leave a Comment