(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં ફરતું દવાખાનાની અંદર એક ઈમરજન્સી કેસ આવ્યો હતો. જેથી તરત જ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ટીમ પહોંચી ગઈ હતી. ત્યાં જઈને ડોક્ટરે સ્થળ પર જઈને ગાયને જોતા ચાર મહિનાનું નાનું વાછરડાને પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડોકટરે વધુ તપાસ કરતાં ખબર પડી કે, વાછરડા ને હરન્યાં છે.
emri green helth services સંસ્થાના ડોક્ટર ભાવિકાબેન અને પાઈલોટ હેતલભાઈ અને સાઉથ ગુજરાતનાં પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પ્રિયાંકે મળીને હરન્યાનું ઓપરેશન કરી મૂળમાંથી કાઢી નાંખ્યુ હતું. વાછરડાને હરન્યાના દુઃખાવામાંથી મુક્ત કરી, તેનો જીવ બચાવ્યો હતો. સારી કામગીરી બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.