January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

ખાણ-ખનીજ વિભાગના આશીર્વાદથી તળાવમાં 10 હજાર ટન માટી કાઢવાની પરમીશન સામે લાખ ટન માટી વગે થઈ ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી નજીક આવેલ વલવાડા-કરમબેલા ગામે તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં એક લાખ ટનથી વધુ માટી ભુમાફીયાઓએ બિલ્‍ડરોને વેચી માર્યાનો આક્ષેપ ગ્રામજનોએ કરતા ચકચાર મચી જવા પામી છે.
વલવાડા ગામે બે સુંદર તળાવ આવેલા છે. તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે માટે એક એજન્‍સી તળાવમાંથી 10 હજાર ટન માટી કાઢવાની કામગીરી લીધી હતી. બે તળાવ પૈકી કરમબેલાનું તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં 10 હજાર ટન માટી કાઢવાની જગ્‍યાએ એકાદ લાખ ટન માટી ભૂમાફીયાઓએ કાઢીને બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કામગીરીમાં કહેવાય છે કે ખાણ-ખનીજ વિભાગ સાથે ભૂમાફીયાઓ સેટીંગ કરી તળાવ ખોદીઅન્‍ય જગ્‍યાએ માટીનો સંગ્રહ કર્યા પછી બિલ્‍ડરોને વેચી મારવામાં આવતી હતી. અધિકારીઓને લાખો રૂપિયા આપી મામલો ફે દફે થતો રહ્યો હતો. તળાવની ઊંડાઈ એટલી બધી વધારે થઈ ગઈ હોવાથી આસપાસના ભૂગર્ભ જળ વાડીઓ-કુવાના પાણી ફંટાઈ જતા તળાવમાં પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ કુવા સુકાઈ ચૂ્‌ક્‍યા છે. ભૂમાફીયા અનેક ગુનામાં સંડોવાયેલ હોવાથી ગ્રામજનો ડરી રહ્યા છે. વિરોધ કરવાની ક્ષમતા ગ્રામજનોમાં નથી. બીજી ઘટના એ છે કે માથાભારે બિલ્‍ડરે ગ્રામજનોને સાથે રાખી 12 ફૂટના રસ્‍તાને 40 ફૂટ બનાવવા પણ પુરાણ કરવામાં આવ્‍યું છે. મામલો ઉચ્‍ચ સ્‍તરે પહોંચેલો છે. પૈસાની વગ આધિન વહિવટી તંત્ર ચૂપ રહ્યાનું કહેવાય છે.

Related posts

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment