March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

ખાણ-ખનીજ વિભાગના આશીર્વાદથી તળાવમાં 10 હજાર ટન માટી કાઢવાની પરમીશન સામે લાખ ટન માટી વગે થઈ ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી નજીક આવેલ વલવાડા-કરમબેલા ગામે તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં એક લાખ ટનથી વધુ માટી ભુમાફીયાઓએ બિલ્‍ડરોને વેચી માર્યાનો આક્ષેપ ગ્રામજનોએ કરતા ચકચાર મચી જવા પામી છે.
વલવાડા ગામે બે સુંદર તળાવ આવેલા છે. તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે માટે એક એજન્‍સી તળાવમાંથી 10 હજાર ટન માટી કાઢવાની કામગીરી લીધી હતી. બે તળાવ પૈકી કરમબેલાનું તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં 10 હજાર ટન માટી કાઢવાની જગ્‍યાએ એકાદ લાખ ટન માટી ભૂમાફીયાઓએ કાઢીને બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કામગીરીમાં કહેવાય છે કે ખાણ-ખનીજ વિભાગ સાથે ભૂમાફીયાઓ સેટીંગ કરી તળાવ ખોદીઅન્‍ય જગ્‍યાએ માટીનો સંગ્રહ કર્યા પછી બિલ્‍ડરોને વેચી મારવામાં આવતી હતી. અધિકારીઓને લાખો રૂપિયા આપી મામલો ફે દફે થતો રહ્યો હતો. તળાવની ઊંડાઈ એટલી બધી વધારે થઈ ગઈ હોવાથી આસપાસના ભૂગર્ભ જળ વાડીઓ-કુવાના પાણી ફંટાઈ જતા તળાવમાં પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ કુવા સુકાઈ ચૂ્‌ક્‍યા છે. ભૂમાફીયા અનેક ગુનામાં સંડોવાયેલ હોવાથી ગ્રામજનો ડરી રહ્યા છે. વિરોધ કરવાની ક્ષમતા ગ્રામજનોમાં નથી. બીજી ઘટના એ છે કે માથાભારે બિલ્‍ડરે ગ્રામજનોને સાથે રાખી 12 ફૂટના રસ્‍તાને 40 ફૂટ બનાવવા પણ પુરાણ કરવામાં આવ્‍યું છે. મામલો ઉચ્‍ચ સ્‍તરે પહોંચેલો છે. પૈસાની વગ આધિન વહિવટી તંત્ર ચૂપ રહ્યાનું કહેવાય છે.

Related posts

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

Leave a Comment