કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાંથી એક આઈએએસ અધિકારી અને ચાર દાનિક્સ અધિકારીઓની બદલી અને તેની સામે બે આઈએએસ અને પાંચ દાનિક્સ અધિકારીઓની ગૃહ મંત્રાલયે કરેલી નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં ફરજ બજાવી રહેલા દાનિક્સ અધિકારી શ્રી વૈભવ રિખારી અને શ્રી હરમિન્દર સિંઘની અંદમાન અને નિકોબાર બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે જારી કર્યો છે.
હાલમાં શ્રી વૈભવ રિખારી દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કાર્યરત છે અને શ્રી હરમિન્દર સિંઘ દીવના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા બદલીના આદેશમાં દાનિક્સ અધિકારીઓમાં લક્ષદ્વીપથી શ્રીઓ.પી.મિશ્રા, શ્રી લેખરાજ, શ્રી ભીખારામ મીણા અને શ્રી પ્રદિપ કુમારની જીએનસીટીડીમાં બદલી કરવામાં આવી છે. જ્યારે લક્ષદ્વીપ ખાતે ફરજ બજાવતા 2007 બેચના આઈએએસ અધિકારી શ્રી વિજેન્દ્રસિંઘ રાજાવતની પણ જીએનસીટીડીમાં બદલી કરાઈ છે. જ્યારે પુડ્ડુચેરીથી 2015 બેચના આઈએએસ અધિકારી શ્રી વિક્રમનાથ રાજાએની લક્ષદ્વીપ તથા ગોવા ખાતે ફરજ બજાવી રહેલા 2015 બેચના આઈએએસ અધિકારી શ્રી શશાંક મણી ત્રિપાઠીની ગોવાથી લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
જીએનસીટીડીથી લક્ષદ્વીપ જનારા આઈએએસ અધિકારીઓમાં 2001 બેચના શ્રી શ્રાવણ બગારીયા, 2001 બેચના શ્રી શૈલેન્દ્રસિંઘ પરિહાર, 2007 બેચના શ્રી તન્વીર અહેમદ અને 2010 બેચના શ્રી શિંઘારે રામચંદ્ર મહાદેવનો સમાવેશ થાય છે.
–