(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તિરુપતિમાં માઁ પદ્માવતી દેવીના દર્શન કરી તેમના ચરણોમાં માથું નમાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા ધન્યતા અનુભવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ પ્રાચીન અને સુંદર મંદિરના દર્શન કરી દેવી પદ્માવતી પાસે ‘સર્વજન હિતાય અને સર્વજન સુખાય’ માટેની પ્રાર્થના કરી હતી.