April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

દાનહના સેલ્‍ટી ખાતે ભારત સરકારના અનુ.જનજાતિ કાર્યમંત્રી અર્જુન મુંડા, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નવનિયુક્‍ત સાંસદ કલાબેનડેલકરની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દેશના સ્‍વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવવા માટે ભારત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' અભિયાન અને આદિવાસીઓના ભગવાન બિરસામ મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સેલ્‍ટી ગામ સહિત દેશભરમાં 50 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાઓનો શિલાન્‍યાસ 15 નવેમ્‍બર, 2021ના સોમવારના દિને કરશે. પ્રધાનમંત્રી ભોપાલમાં ઉપસ્‍થિત રહી સંચાર માધ્‍યમ દ્વારા બપોરે 1:00 વાગ્‍યે દરેક શાળાના નિર્માણ કાર્યનું શિલાન્‍યાસ કરશે. 
આ પ્રસંગે જનજાતીય કાર્ય મંત્રી ભારત સરકાર શ્રી અર્જુન મુંડા, દાનહ અને દમણ-દીવના પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલ, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ઉપસ્‍થિત રહેશે. 
કાર્યક્રમનું આયોજન રાષ્‍ટ્રીય આદિવાસી છાત્ર શિક્ષા સમિતિ હિન્‍દુસ્‍તાન સ્‍ટીલવર્કસ કન્‍ટ્રક્‍શન લીમીટેડ અરકોન પ્રોજેક્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. તેમજ પ્રદેશની જનતાને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

Related posts

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment