April 27, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

  • શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ શિવસેનાના કાર્યાલય ટોકરખાડા ખાતે આજે શિવસેનાના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી પ્રદેશને ઉજ્જવળ ભવિષ્‍ય તરફ લઈ જવામાં આવશે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવારે હાથ મેળવતાની સાથે જ સારા પરિણામોની શરૂઆત પ્રદેશમાં જોવા મળી છે. જે પ્રમાણે મહારાષ્‍ટ્રરાજ્‍યમાં શિવસેનાના મુખ્‍યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના કામોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે તેવી રીતે આપણા પ્રદેશના કામોની નોંધ રાષ્‍ટ્રીય સ્‍તરે લેવામાં આવે તે પ્રકારની કાર્યશૈલી સાથે કામો કરવામાં આવશે. આ પ્રસંગે જન પ્રતિનિધિઓ સહિત શિવસેનાના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઘોઘલા-બુચરવાડા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કરેલી મુલાકાતઃ ગુણવત્તા અને સુવિધા સુધારવા આપેલું અલ્‍ટીમેટમ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

Leave a Comment