January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

  • દમણ-દીવના નાગરિકોને ‘પ્રશાસન આપ કે દ્વાર’ની તર્જ ઉપર ‘પોર્ટૂગલ આપ કે દ્વાર’નો થતો અનુભવ

  • 21મી નવેમ્‍બરથી ર8મી નવેમ્‍બર સુધી કોસ્‍યુલેટ દ્વારા પોર્ટુગલ સીટીજન કાર્ડ રિન્‍યુઅલ, પોર્ટુગલ પાસપોર્ટ રિન્‍યુઅલની સાથે સાથે કાર્ડ અને પાસપોર્ટ કલેક્‍શનનું કાર્ય થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
દીવમાં પોર્ટુગલ એજેન્‍સીએ સાત દિવસીય કેમ્‍પનું આયોજન કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અગામી તા. ર1ની નવેમ્‍બરથી ર8મી નવેમ્‍બર સુધી ગોવા સ્‍થિત પોર્ટુગલ એજેન્‍સી દ્વારા સાત દિવસનું મેગા કેમ્‍પ દીવમાં યોજાનાર છે. આ કેમ્‍પમાં પોર્ટુગલ સીટીજન કાર્ડ રિન્‍યુઅલ, પોર્ટુગલ પાસપોર્ટ રિન્‍યુઅલની સાથે સાથે કાર્ડ અને પાસપોર્ટ કલેક્‍શનનું કામ પણથશે. સાથે સાથે પ્રોવિજનલ પાસપોર્ટ માટેની અરજી પણ આ કેમ્‍પમાં આપવામાં આવશે
અત્રે યાદ રહે કે, પોર્ટુગલ એજેન્‍સી દીવ અને દમણમાં સમય સમય પર જ્‍યાં પોર્ટુગલ સમયના મૂળ રહેવાસીઓ માટે પોર્ટુગલ સિટીજનશીપ અને પોર્ટુગલ પાસપોર્ટ માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં દમણ-દીવના નાગરિકોને ‘પ્રશાસન આપ કે દ્વાર’ની તર્જ ઉપર ‘પોર્ટૂગલ આપ કે દ્વાર’નો અનુભવ થાય છે.

Related posts

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

દાનહ અને દમણ-દીવ અગામી બે વર્ષમાં ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના નકશામાં વિકસિત બેનમૂન પ્રદેશ બનશે

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment