(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18
સરીગામ, ઉમરગામ તાલુકાના પળગામ ખાતેથી વલસાડ એલસીબીની ટીમને રૂા.270000ની કિંમતના કેમિકલના જથ્થા ભરેલા 30 ડ્રમ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને પળગામ ચિરાખાડી નજીક રહેતા કળષિલ અમળત રાઠોડના ઘરના આંગણામાંથી ખુલ્લેઆમ પડેલા 200 લિટરના કેમિકલ ભરેલા 30ડ્રમ ઝડપી પાડયા હતા.
ઘટના સ્થળે એલસીબીની ટીમે પૂછપરછ કરતા આરોપીઓ કેમિકલના જથ્થાનુ બિલ અને ચલણ રજૂ કરવામાં નિષ્ફળ જતા આ ઘટના સાથે સંકળાયેલા બે આરોપી કળષીલ અમળત રાઠોડ ઉંમર વર્ષ 21 રહે પળગામ ચિરાખાડી અનેનવીન મગન પવાર ઉંમર 27 રહે ઉમરગામ ડમરુવાડી બંનેને સંકાજા કરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ આ કેમિકલનો જથ્થો એમના મિત્ર પ્રતિક પટેલ રહે બોઈસર પાસેથી વેચવા માટે મેળવ્યો હોવાનું કબૂલાત કરી હતી.
કેમિકલનો જથ્થો ભરેલા 30 ડેમોમાંથી 14 ડ્રમોમાં લાલચ પડતું કેમિકલ પ્રવાહી અને 16 ડેમોમાં સફેદ કલરનું કેમિકલ પ્રવાહી તીવ્ર વાસવાળું હોવાનું જણાઈ રહ્યું છે. તેમજ આ ડ્રમો પર માર્કરપેનથી ડીટીબીપી અને ટીબીએચપી વોટર લખેલું છે.
સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા ડ્રમોમાંથી નમૂના એકત્રિત કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.