(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની કામગીરી પુર જોસમાં ચાલી રહી છે. વાપી નજીક ભિલાડ, ઝરોલીમાં અંડર ગ્રાઉન્ડ ટલનની કામગીરીનો આરંભ થઈ ચુક્યો છે. વડોદરા વાપી વચ્ચે 237 કીમી બુલેટ ટ્રેન રેલવે લાઈનની 70 ટકા કામગીરી પુર્ણતાના આરે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વાપીને મહત્ત્વનું સ્થાન મળ્યું છે. ડુંગરા પાસે બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી ખુબ પ્રગતિમાં છે. સુરત-વડોદરા જેવડુ અને સુવિધા યુક્ત સ્ટેશન આકાર પામી રહ્યું છે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેન લાઈનમાં આવતી નદીના પુલ તૈયાર થઈ ચૂક્યા છે. ભારતની પ્રથમ એવી બુલેટ ટ્રેનનો રૂટ વડાપ્રધાન મોદીએ ગુજરાતને ફાળવ્યો છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી ટ્રેન 2025 સુધીમાં દોડતી થઈ જશે. તમામ સ્થળોએ પુલ, ઓવરબ્રિજના કામ અંતિમ તબક્કામાં છે. ભિલાડ પાસે ઝરોલીમાં અંડર ગ્રાઉન્ડ ટનલની હાલમાં કામગીરી ચાલી રહી છે. ગુજરાત માટે બુલેટટ્રેન પ્રોજેક્ટ અતિ આવશ્યકઅને વિકાસની ગાથા બની રહેશે.