202રમાં પણ સેલવાસ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી રાખવા માટે સાથ આપવા શહેરવાસીઓને કરાયેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સેલવાસ પાલિકાના પ્રમુખના નેતળત્વમાં અને સેલવાસ વિસ્તારના દરેક નાગરિકોના સાથ અને સહયોગથી સેલવાસ શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2021મા 66મોં રેન્ક પ્રાપ્ત થયો છે.ગત વર્ષે આ રેન્ક 84મો હતો.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામા આવેલ સ્વચ્છ ભારત અભિયાન મુજબ સેલવાસ શહેરને સ્વચ્છ સુંદર અને સ્વાસ્થ્ય પૂર્ણ બનાવવા માટે પાલિકા દ્વારા વિવિધ ઉપક્રમ શરુ કરવામા આવ્યા હતા. જેના ફળ સ્વરૂપ સેલવાસ પાલિકાને રેન્કમાં ઘણો સુધારો થયો છે.
સેલવાસ પાલિકા આ વર્ષે પણ સ્વચ્છ સર્વેક્ષણ 2022મા ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં ગાર્બેજ ફ્રી સીટી માટે ભાગ લઇ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ પાલિકાને સહયોગ કરે અને સેલવાસ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સાથ આપવા શહેરના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.