(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08: દીવના દગાચી ખાતે છેલ્લા 31 વર્ષથી હર્ષોલ્લાસથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ દગાચી ખાતે આવેલ બરડાઈ માતાના ડુંગર પર ગુરુનાનક જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જે દગાચી, પટેલ વાડી ગામમાં ફરીને બરડાઈ માતા મંદિરએ પહોંચી હતી. ગુરુનાનક જયંતિમાં ગુરુ ગ્રંથ વાંચી હરદાસ કરવામાં આવ્યું, સાથે ધજા ચડાવવામાં આવી, બપોરે બટૂકોની પૂજા, ભોજન કરાવ્યું, સાથે લંગર પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં દીવ જિલ્લાના ગુરુનાનકના ભક્તોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો. આ રીતે દીવ ખાતે ધામધૂમથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.