Vartman Pravah
Breaking Newsદમણ

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

  • મોટી દમણ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથામાં શિવ-પાર્વતી વિવાહની ધામધૂમપૂર્વક થયેલી ઉજવણી

  • આજે શિવ કથામાં ગણેશ પ્રાગટયના પ્રસંગને વણી લેવાશે

  • સાંસદ લાલુભાઈ પટેલે પણ આપેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23
મોટી દમણના હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ખાતે ચાલી રહેલ પ્રસિદ્ધ કથાકાર શ્રીમેહુલભાઈ જાની(ખેરગામવાળા)ની શિવ કથાના આજે ચોથા દિવસે શિવ-પાર્વતી વિવાહનું તાદૃશ્‍ય નિરુપણ કરવામાં આવ્‍યું હતું. ઉપસ્‍થિત તમામ શ્રોતાઓ શિવ-પાર્વતી વિવાહના દિવ્‍ય પ્રસંગને નિહાળી ભાવ-વિભોર બની ગયા હતા.
સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીએ વ્‍યાસપીઠ ઉપરથી શિવ-પાર્વતી વિવાહના પ્રસંગને વણી લઈ પોતાની ભાવવાહી વાણીમાં જણાવ્‍યું હતું કે, આપણા સંતાનો અને આવનારી પેઢીને સત્‍સંગ, સંસ્‍કાર, શિક્ષણ અને શિવ કથા રૂપી આધ્‍યાત્‍મિક શક્‍તિની ખુબ જરૂર છે. તલવારની ધાર કરતા જીભની ધાર તેજ હોય છે. જે વ્‍યક્‍તિની વાણીમાં વિવેક હોય તે વિશ્વને જીતી શકે છે.
શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા)એ પાર્વતી માતાની માતૃ શક્‍તિનો ચિતાર આપતા જણાવ્‍યું હતું કે, દિકરી એ પિતાનો શ્વાસ છે, પ્રેમ એ ભગવાન સ્‍વરૂપ છે. તેમણે પોતાની ભાવવાહી અને કર્ણપ્રિય વાણીમાં કથાનું આબેહુબ રસપાન કરાવ્‍યું હતું.
કથામાં શિવ-પાર્વતી બનવાનો લ્‍હાવો શ્રી અશોકભાઈ રાણા અને શ્રીમતી ઉષાકિરણ રાણાએ લીધો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. દુણેઠાના શ્રી ભરતભાઈ પટેલ સહિત વગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
શિવ કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્‍દુ સ્‍મશાન ભૂમિના તમામપદાધિકારીઓ અને આગેવાનો સતત મહેનત કરી રહ્યા છે. શ્રી અશોકભાઈ રાણા, શ્રી વાસુભાઈ પટેલ, શ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી ધીરજભાઈ ટંડેલ સહિતના તમામ આગેવાનો હિન્‍દુ સ્‍મશાન ભૂમિના નવ સંસ્‍કરણ અને શિવ પ્રતિમાની સ્‍થાપના માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પાંચ દિવસની દોસ્‍તીમાં શિયળ ગુમાવતી પારડીના એક ગામની સગીરા

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment