February 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

    • લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
  • જો સાંસદ બન્‍યા તો ગ્રુપ -સી અને ડીની ભરતી ડોમિસાઈલ ધરાવતા સ્‍થાનિક ઉમેદવારોમાંથી જ કરાવવાનો કેતનભાઈ પટેલે વ્‍યક્‍ત કરેલો નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણ અને દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે આજે શુભ મુહૂર્તમાં સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમણે પોતાની ધર્મપત્‍ની શ્રીમતી અમીબેન પટેલ અને પોતાના સંતાનો સાથે સોમનાથ ભગવાનની પૂજા-અર્ચના કરી વિધિવત ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.
દમણ અને દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ દમણ અને દીવમાં પ્રગતિ અને સમૃદ્ધિ આવી છે. કોંગ્રેસ સરકારે જાહેર કરેલ ટેક્‍સ હોલીડેના કારણે જ આજે દમણના મોટા ભાગના લોકો એક યા બીજી રીતે પગભર બનીને સંતોષથી પોતાનું જીવનજીવી રહ્યા છે. કોંગ્રેસ સરકારે જ 1987માં દમણ અને દીવને ગુજરાતમાં નહીં ભેળવી સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશનો દરજ્‍જો આપ્‍યો હતો. તેથી દમણ અને દીવની જનતા ખુબ જ સારી રીતે જાણે છે.
દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે વધુમાં પત્રકારોને જણાવ્‍યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારીએ માઝા મુકી છે. ભણેલા છોકરાઓને નોકરી મળતી નથી. બી.ઈ. એન્‍જિનિયર થયેલા વિદ્યાર્થીઓને ફેક્‍ટરીમાં માંડ 8 થી 10 હજાર રૂપિયા મળે છે, તેથી જો તેઓ આ ચૂંટણીમાં વિજયી બન્‍યા તો સૌથી પહેલાં ગ્રુપ-‘સી’ અને ‘ડી’ની ભરતી સો ટકા સ્‍થાનિક ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરાવવાનો દૃઢ નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

Leave a Comment