April 18, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

અંતરીયાળ વિસ્‍તારમાં લોક જાગૃતિનો થઈ રહેલો સંચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ધરમપુર કાનજી ફળીયામાં આજરોજ મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેત્રદાન, અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત નાગરિક ભાઈ-બહેનોએ સંકલ્‍પ લીધો હતો અને સમાજને ઉમદા સંદેશ પુરો પાડવામાં આવ્‍યો હતો.
આજે રવિવારે ધરમપુર કાનજી ફળીયામાં સા.આલિયા અંકિતભાઈ પટેલના સ્‍મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ વલસાડ, રેઈનબો વોરિયર્સ ધરમપુર દ્વારા આયોજીત મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન, અંગદાન, દેહદાન સંકલ્‍પ લેવાયા હતા. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ, આદિવાસી એકતા પરિષદના શ્રી કમલેશભાઈ, શ્રી જયેશભાઈ પલ્લવ પ્રિન્‍ટર સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંગદાન, દેહદાન, નેત્રદાન અંગે લોકોમાં સતત જાગૃતિ લાવવાનો ભગીરથ યત્‍ન ધરમપુર તા.પં.ના આદિવાસી અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે સરાહનીય જહેમત ઉઠાવી હતી.

Related posts

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

વલસાડના કવયિત્રી દર્શના કનાડા માળીનું વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર તરીકે થયું સન્‍માન

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

Leave a Comment