December 1, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

અંતરીયાળ વિસ્‍તારમાં લોક જાગૃતિનો થઈ રહેલો સંચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ધરમપુર કાનજી ફળીયામાં આજરોજ મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેત્રદાન, અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત નાગરિક ભાઈ-બહેનોએ સંકલ્‍પ લીધો હતો અને સમાજને ઉમદા સંદેશ પુરો પાડવામાં આવ્‍યો હતો.
આજે રવિવારે ધરમપુર કાનજી ફળીયામાં સા.આલિયા અંકિતભાઈ પટેલના સ્‍મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ વલસાડ, રેઈનબો વોરિયર્સ ધરમપુર દ્વારા આયોજીત મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન, અંગદાન, દેહદાન સંકલ્‍પ લેવાયા હતા. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ, આદિવાસી એકતા પરિષદના શ્રી કમલેશભાઈ, શ્રી જયેશભાઈ પલ્લવ પ્રિન્‍ટર સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંગદાન, દેહદાન, નેત્રદાન અંગે લોકોમાં સતત જાગૃતિ લાવવાનો ભગીરથ યત્‍ન ધરમપુર તા.પં.ના આદિવાસી અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે સરાહનીય જહેમત ઉઠાવી હતી.

Related posts

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

Leave a Comment