Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

અંતરીયાળ વિસ્‍તારમાં લોક જાગૃતિનો થઈ રહેલો સંચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
ધરમપુર કાનજી ફળીયામાં આજરોજ મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેત્રદાન, અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત નાગરિક ભાઈ-બહેનોએ સંકલ્‍પ લીધો હતો અને સમાજને ઉમદા સંદેશ પુરો પાડવામાં આવ્‍યો હતો.
આજે રવિવારે ધરમપુર કાનજી ફળીયામાં સા.આલિયા અંકિતભાઈ પટેલના સ્‍મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી, ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ વલસાડ, રેઈનબો વોરિયર્સ ધરમપુર દ્વારા આયોજીત મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન, અંગદાન, દેહદાન સંકલ્‍પ લેવાયા હતા. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ, આદિવાસી એકતા પરિષદના શ્રી કમલેશભાઈ, શ્રી જયેશભાઈ પલ્લવ પ્રિન્‍ટર સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંગદાન, દેહદાન, નેત્રદાન અંગે લોકોમાં સતત જાગૃતિ લાવવાનો ભગીરથ યત્‍ન ધરમપુર તા.પં.ના આદિવાસી અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે સરાહનીય જહેમત ઉઠાવી હતી.

Related posts

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment