July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: 12મી સપ્‍ટેમ્‍બરે સયાજી લાઈબ્રેરી ખાતે પર્યાવરણ પ્રહરીઃ નંદનવન નવસારી પ્રોજેક્‍ટ લોન્‍ચ થયો. Say No To Plastic પ્રોજેક્‍ટ અંતર્ગત, રિસાઈકલ થાય એવા પ્‍લાસ્‍ટિક કલેક્‍શન માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. એપ્રોજેક્‍ટ અંતર્ગત તારીખ 1 ઓક્‍ટોબર મંગળવારે નવસારીની શાળાઓના સહકારથી ટેમ્‍પો ભરીને રિસાઈકલ માટે પ્‍લાસ્‍ટિક કલેક્‍ટ કરવામાં આવ્‍યું હતું. દરેક શાળાએ વિદ્યાર્થી અને શિક્ષકોની મદદથી 200 કિલો જેટલું પ્‍લાસ્‍ટિક ભેગું કરીને રિસાઈકલ માટે મોકલ્‍યું હતું. નવસારી શહેર માટે આ ખૂબ મોટી પ્રેરણાદાયી ઘટના છે. બાળકોના બાલ માનસ પર અત્‍યારથી જ પર્યાવરણને આપણાથી નુકસાન ન થાય એ માટેના વિચારો સંસ્‍કારિત થાય, આ હેતુ ખૂબ સારી રીતે પુરવાર થયો છે. આ પ્રોજેક્‍ટમાં બધી શાળાઓ આ જ રીતે સહકાર આપતી રહેશે તો સ્‍વચ્‍છ નવસારી બનાવવા માટેના પ્રયત્‍નોમાં આપના બાળકો ખૂબ મોટું યોગદાન શાળા થકી આપશે એમાં કોઈ શંકા નથી. વિદ્યાર્થીઓથી પ્રેરણા લઈને નવસારી શહેરના નાગરિકો તથા સામાજિક સંસ્‍થાઓ આ કાર્ય લાઈબ્રેરી સાથે મળીને કરવા ઈચ્‍છે તો એ દિશામાં પણ આપણે આગળ વધી શકીશું. આવતા સોમવારે પણ શાળાઓ પ્‍લાસ્‍ટિક કલેક્‍ટ કરશે. જેથી મંગળવારે ફરી પીકઅપ વેન આવીને આજની જેમ પ્‍લાસ્‍ટિક રિસાઈકલ માટે લઈ જશે.
દરેક શાળાના વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્ય તથા મદદરૂપ થનાર દરેક વ્‍યક્‍તિનો સયાજી લાઈબ્રેરી આભાર માને છે. ગાંધી જયંતીની પૂર્વ સંધ્‍યાએ સ્‍વચ્‍છતા તરફનું આ પગલું, એટલે સાચા અર્થમાંપોતાના કર્મથી વિદ્યાર્થીઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી શકયા, એનાથી વિશેષ સંતોષ શું હોઈ શકે?

Related posts

નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે મીટિંગનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

vartmanpravah

Leave a Comment