Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

જિલ્લાની 382 ગ્રામ પંચાયતના 150 તલાટી હડતાળ પર છે : ઓફીસની ચાવીઓ મામલતદારોને સોંપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
સમગ્ર ગુજરાતમાં તલાટીઓના પડતર પ્રશ્નો છેલ્લા ચાર વર્ષથી માંગણીઓ છતાં નહી સંતોષવામાં આવતા અંતે ગુજરાત તલાટી મહામંડળ દ્વારા જાહેર કરાયેલ એલાન મુજબ તા.02 જુલાઈથી તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે હડતાળના બીજા દિવસે પણ વલસાડ જિલ્લાના તમામ તલાટીઓ કામકાજથી અળગા રહેતા હજારો અરજદારોના કામકાજ અટકી જતા મુશ્‍કેલી બેવડાઈ રહી છે.
વલસાડ જિલ્લાની 382 ગ્રામ પંચાયતોમાં 150 ઉપરાંત તલાટી/મંત્રી ની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ તલાટીઓની હડતાળઉપરનો આજે બુધવારે બીજો દિવસ પણ યથાવત રહ્યો હતો. ડી.ડી.ઓ. અને મામલતદારોને પોતાની ઓફીસની ચાવીઓ તલાટીઓએ જમા કરાવી હડતાળ વધુ વેગીલી બનાવી દીધી હતી. તેથી જિલ્લાના હજારો અરજદારોના કામકાજ હાલમાં અટવાઈ ચૂક્‍યા છે. સરકાર કોઈ ઉકેલ નહી લાવે તો અંતે વેઠવાનું પ્રજાને જ છે. લોકોમાં હડતાળની મોટી નારાજગી જોવા મળી રહી છે.

Related posts

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

Leave a Comment