Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈનનો ઉદેશ્ય વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં NGO(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન), ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય સંસ્થાઓએ સહભાગી થઈ જિલ્લાના જુદા-જુદા સ્થળો પર સાફ-સફાઈ કામગીરી કરી હતી. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે(૨૧-૦૯-૨૪) નિમિતે દરિયા કિનારાની સાફ સફાઈ કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્વછતા શપથ, શાળામાં સ્વચ્છતા રેલી, કપરાડા તાલુકાનાં નળીમધની ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, શાળામાં સ્વચ્છતા હી સેવા અંગેની સમજ, રંગોળી, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છતા શપથ, રેલી, વકૃત્વ સ્પર્ધા, ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃતિ, પારડી તાલુકાના ઉદવાડા ગામની શાળામાં ચિત્રકામ, વકૃત્વ સ્પર્ધા અને દરિયાકિનારે લોક ભાગીદારીથી સાફ-સફાઈ, ઉમરગામ તાલુકાના નગવાસ ગામની શાળામાં ચિત્રકામ સ્પર્ધા, વલસાડ તાલુકામાં ભગોદ ગામની શાળામાં સ્વછતા શપથ, સ્વચ્છતા અંગેની સમજણ, ચિત્રકામ, યોગા, વાપી તાલુકાના પંડોર ગામની શાળામાં સ્વચ્છતા શપથ, સ્વછતા અંગે સમજણ, નિબંધ સ્પર્ધા, ચિત્રકામ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વધુમાં વલસાડ તાલુકાના અતુલ ગામમાં PWM યુનિટમાં નકામા ટાયરમાંથી વિવિધ બનાવટો બનાવી વેસ્ટ ટુ આર્ટનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

દમણઃ ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્‍ટરને રાવ : દમણ જિલ્લા કલેક્‍ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment