ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનદારો અને લારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. ભુરકુંડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા આ દરેકને અગાઉ જે જગ્યા પર ધંધો કરી રહ્યા હતા ત્યાંથી હટી જવા માટે જણાવ્યું હતું છતાંપણ તેઓએ જગ્યા છોડી ના હતી. જેથી તેઓ સામે કાર્યવાહી કરી લારીઓ અને સામનો કબ્જે કરવામા આવ્યા હતા. સેલવાસ પાલિકા વિસ્તારમાં પથ વિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર અનિવાર્ય છે.