September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનદારો અને લારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. ભુરકુંડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા આ દરેકને અગાઉ જે જગ્‍યા પર ધંધો કરી રહ્યા હતા ત્‍યાંથી હટી જવા માટે જણાવ્‍યું હતું છતાંપણ તેઓએ જગ્‍યા છોડી ના હતી. જેથી તેઓ સામે કાર્યવાહી કરી લારીઓ અને સામનો કબ્‍જે કરવામા આવ્‍યા હતા. સેલવાસ પાલિકા વિસ્‍તારમાં પથ વિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર અનિવાર્ય છે.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

Leave a Comment