(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ સમિતિ દ્વારા રાંધા અને આંબોલી ગામે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આર્ટિકલ અને આદિવાસી સમાજની રૂઢિગત કાયદાની ગ્રામજનોને સમજૂતી માટે ‘આદિવાસી અધિકાર દિવસે’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ કાયદાને જાળવી રાખવાનું પ્રણ લઈ તેના અમલીકરણ માટે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ અવસરે અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.