October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ કરવા તેમજ ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકવા તથા કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત નહીં કરવા સહિત ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવા તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : આગામી લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં દમણ જિલ્લા ચૂંટણી તંત્રએ આ વખતે નિષ્‍પક્ષ પારદર્શક અને મુક્‍ત, ન્‍યાયી ચૂંટણી યોજવા માટે કમર કસી છે. જેમાં તંત્રએ વિવિધ દેખરેખ સમિતિઓનું પણ ગઠન કર્યું છે.
જેના ઉપલક્ષમાં ગઈકાલે શનિવારે સાંજે 5:00 વાગ્‍યે દમણ જિલ્લા નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયાપ્રભાવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ સહિત વાપી વિસ્‍તારના સોશિયલ મીડિયા પ્રભાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે આગામી લોકસભા ચૂંટણીના સંબંધમાં માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના બહુમતિ યુવાઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેથી ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ હોવી જરૂરી છે. તેનાથી ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકી શકાય. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને જણાવ્‍યું હતું કે, કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત કરવામાં નહીં આવે તથા ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવી આવશ્‍યક છે.
નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સોશિયલ મીડિયા જેમ કે, વોટ્‍સએપ, ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબૂક તથા એક્‍સ(ટ્‍વીટર) જેવાની તમામ પ્રવૃત્તિઓ ઉપર સમિતિઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉપરાંત શ્રી સિંહે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને મતદાન સાથે સંબંધિત સામગ્રી બનાવવા માટે પણ અપીલ કરી હતી, જેથી વધુમાં વધુ લોકો જોડાઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચનીસૂચના મુજબ, કોઈપણ ઉમેદવારો અને રાજકીય પક્ષોની જાહેરાતો એમસીએમસીના પ્રી-સર્ટિફિકેશન દ્વારા કરવામાં આવશે, જે માત્ર જાહેરાતોની ગુણવત્તાને સુનિヘતિ કરશે જ, પરંતુ એ પણ સુનિヘતિ કરશે કે ચૂંટણી પંચના નિયમોનું કોઈ ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને…?

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્‍વોલિટી (એક્‍યુઆઈ) 222 પહોંચ્‍યો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment