હનુમાનજીની પૂજા, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથેમહા પ્રસાદના આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: આવતીકાલે મંગળવારે પવનપૂત્ર હનુમાનજીની જન્મ જયંતિ હોવાથી વાપીના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપી ટાઉન, વાપી ફોર્ટીશેડ, જે-ટાઈપ વિસ્તાર તથા અંબામાતા મંદિર જેવા હનુમાનજીના મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થનાર છે. વાપી ટાઉન બજાર રોડ ખાતે મહાત્મા ગાંધી માર્કેટ પાછળ આવેલા સંકટમોચન હનુમાન મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે પૂજાવિધી બાદ 11:30 કલાકે મહા આરતી અને બપોરે 12 કલાકે મહા પ્રસાદનું આયોજન કરાશે. જેનો લાભ લેવા તમામ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.