(વાપી બ્યુરો) વાપી, તા.6:
વલસાડ રેલવે સ્ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મહિલા મુસાફરનું ઘરેણા-રોકડ અને મોબાઈલ રાખેલ 1.08 લાખની મતાનું પર્સ ચોરાઈ જતા મહિલાએ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જી.આર.પી. વલસાડ સૂત્રો મુજબ રાજસ્થાન મડતાલ રોડ સ્ટેશનથી મુંબઈ જવા માટે સુનિતા મહિવાલ ચૌધરી કોચ નં. બી-2 માં મુસાફરી કરી રહેલ. વલસાડ સ્ટેશને જાગી જતા જોયું તો પોતાનું પર્સ ચોરાઈ ગયું હતું. પર્સમાં 25 હજાર રોકડા, બુટી, વીટી અને મોબાઈલ મળી કુલ રૂ.1.08 લાખની મતા હતી. કોઈ ચોર ઈસમ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પર્સ ચોરીને ગાયબ થઈ ગયો હતો. તેથી વલસાડ રેલવે પોલીસમાં સુનિતાબેને પર્સ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. તેઓ મુંબઈ ભાયંદર કાશીનગરમાં રહે છે. સામાજીક કામ હેતુ રાજસ્થાન ગયા હતા પરત ફરતા રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં તેમની સાથે ચોરીની ઘટના ઘટીહતી.