April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: દેશના સ્‍વતંત્રતાના 75મા વર્ષના અમૃત મહોત્‍સવ નિમિત્તે કેન્‍દ્ર સરકારની હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની યોજના છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે પ્રદેશવાસીઓને આગામી તા.13 થી 15 ઓગસ્‍ટ સુધી પોતપોતાના ઘરોમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનને મજબુત કરવાની અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા કાલે શરૂ કરવામાં આવેલ રાષ્‍ટ્રભક્‍તિથી ઓતપ્રોત ‘હર ઘર તિરંગા’ અભિયાનને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પહોંચાડવાની જવાબદારી પ્રદેશ ભાજપાએ ઉઠાવી છે. આ ઝુંબેશ હેઠળ તા.13 થી 15 ઓગસ્‍ટ સુધી દેશના જન જન સુધી પ્રદેશના તમામ ઘરોમાં ભારતની આન બાન શાનના પ્રતિક એવા રાષ્‍ટ્ર ધ્‍વજ તિરંગાને પહોંચાડવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ટ્‍વીટ દ્વારા કહ્યું છે કે આ ઝુંબેશ તિરંગાની સાથે અમારૂં જોડાણ વધુ ગાઢ બનાવશે. સાથે જ તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે 22મી જુલાઈ, 1947 ના દિવસે જ તિરંગાને રાષ્‍ટ્રધ્‍વજના રૂપમાં અપનાવવામાં આવ્‍યો હતો. તેઓએ જણાવ્‍યું કે આ વર્ષે આપણે જ્‍યારે આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યા છે તો આવો ‘હર ઘર તિરંગા’ આંદોલનને મજબુત કરીએ. 13 ઓગસ્‍ટથી 15 ઓગસ્‍ટ સુધી તમારા ઘરોમાં તિરંગો ફરકાવો અથવા પ્રદર્શિત કરો. આ ઝુંબેશ રાષ્‍ટ્રધ્‍વજ સાથે તેના જોડાણને વધુ ગાઢ બનાવશે.

Related posts

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

નહમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના પ્રચાર માટે અનુ.જાતિ મોર્ચાની ટીમની સાથે ભાજપ નેતા હરિશ પટેલે અનુ.જાતિના ગામોમાં કરેલો પ્રચાર

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

Leave a Comment