33 વર્ષિય જી.આર.ડી. મયુરીબેન સરવૈયા ગુરૂવારે ફરજ પુરી કરી ઘરે ગયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી. મયુરીબેન સરવૈયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. મોતના સમાચાર બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા 33 વર્ષિય મયુરીબેન સરવૈયા ગુરૂવારે તેમની ફરજ પુરી કરીને ઘરે ગયા હતા તે દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. આજરોજ યોજાયેલ અંતિમ યાત્રામાં પોલીસ વિભાગના તમામ મહિલા જી.આર.ડી. સહિત પોલીસ જવાનો જોડાયા હતા. સાથી મહિલા જી.આર.ડી.ના મોતને પગલે સીટી પોલીસમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. એક હપ્તા પહેલાં તિથલ દરિયામાં મહિલા કોન્સ્ટેબલના અપમૃત્યુ બાદ પોલીસ વિભાગમાં આ બીજો બનાવ બનતા સૌ કોઈ શોકમગ્ન હતા.