પોતાના કર્મચારી-કામદારોનું વેક્સીનેશન કરાવવા નિષ્ફળ ગયેલ ઈન્ડસ્ટ્રીઝો સામે આકરા પગલાં ભરવા ચિમકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ અને દીવના યુટી એડમિનિસ્ટ્રેશન દ્વારા અમલમાં મુકવામાં આવનાર માર્ગદર્શિકા અને એસઓપીને આદેશ નંબર ઝપ્ણ્લ્/ઘ્બ્સ્ત્ઝ-19/2020/1127તારીખ 29.10.2021 દ્વારા કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે વિવિધ સંસ્થાઓ તેમજ ઉદ્યોગો સૂચિત કરવામાં આવ્યા છે.
સૂચના અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લાના તમામ કર્મચારીઆ-કામદારો માટે સંપૂર્ણ કોવિડ-19 રસીકરણ (બંને ડોઝ ફરજિયાત) કડક રીતે ફરજીયાત લેવાના રહેશે. ઉદ્યોગોનું સંચાલન કરતી સંબંધિતસંસ્થાઓ તેને લાગુ કરાવવા માટે જવાબદાર રહેશે
જેથી તમામ ઉદ્યોગોએ તાત્કાલિક ખાતરી કરવાની રહેશે કે, તેમના તમામ કર્મચારીઓ-કામદારો કોવિડ-19ના રસીકરણ માટે નિષ્ફળ થયા વિના સંપૂર્ણ રસીકરણ કરે. જો આ બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિને ગંભીરતાથી લેવામાં આવશે અને આ નિર્દેશો અને સૂચનાઓનું પાલન નહી કરનાર ઉદ્યોગો/સ્થાપનાઓ/કારખાનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.