August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

  • પોતાના કર્મચારી-કામદારોનું વેક્‍સીનેશન કરાવવા નિષ્‍ફળ ગયેલ ઈન્‍ડસ્‍ટ્રીઝો સામે આકરા પગલાં ભરવા ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ અને દીવના યુટી એડમિનિસ્‍ટ્રેશન દ્વારા અમલમાં મુકવામાં આવનાર માર્ગદર્શિકા અને એસઓપીને આદેશ નંબર ઝપ્‍ણ્‍લ્‍/ઘ્‍બ્‍સ્‍ત્‍ઝ-19/2020/1127તારીખ 29.10.2021 દ્વારા કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે વિવિધ સંસ્‍થાઓ તેમજ ઉદ્યોગો સૂચિત કરવામાં આવ્‍યા છે.
સૂચના અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લાના તમામ કર્મચારીઆ-કામદારો માટે સંપૂર્ણ કોવિડ-19 રસીકરણ (બંને ડોઝ ફરજિયાત) કડક રીતે ફરજીયાત લેવાના રહેશે. ઉદ્યોગોનું સંચાલન કરતી સંબંધિતસંસ્‍થાઓ તેને લાગુ કરાવવા માટે જવાબદાર રહેશે
જેથી તમામ ઉદ્યોગોએ તાત્‍કાલિક ખાતરી કરવાની રહેશે કે, તેમના તમામ કર્મચારીઓ-કામદારો કોવિડ-19ના રસીકરણ માટે નિષ્‍ફળ થયા વિના સંપૂર્ણ રસીકરણ કરે. જો આ બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિને ગંભીરતાથી લેવામાં આવશે અને આ નિર્દેશો અને સૂચનાઓનું પાલન નહી કરનાર ઉદ્યોગો/સ્‍થાપનાઓ/કારખાનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

Related posts

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

સંઘપ્રદેશના બહુમતિ આદિવાસી જિલ્લા દાનહમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment