March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

  • પોતાના કર્મચારી-કામદારોનું વેક્‍સીનેશન કરાવવા નિષ્‍ફળ ગયેલ ઈન્‍ડસ્‍ટ્રીઝો સામે આકરા પગલાં ભરવા ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ અને દીવના યુટી એડમિનિસ્‍ટ્રેશન દ્વારા અમલમાં મુકવામાં આવનાર માર્ગદર્શિકા અને એસઓપીને આદેશ નંબર ઝપ્‍ણ્‍લ્‍/ઘ્‍બ્‍સ્‍ત્‍ઝ-19/2020/1127તારીખ 29.10.2021 દ્વારા કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે વિવિધ સંસ્‍થાઓ તેમજ ઉદ્યોગો સૂચિત કરવામાં આવ્‍યા છે.
સૂચના અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લાના તમામ કર્મચારીઆ-કામદારો માટે સંપૂર્ણ કોવિડ-19 રસીકરણ (બંને ડોઝ ફરજિયાત) કડક રીતે ફરજીયાત લેવાના રહેશે. ઉદ્યોગોનું સંચાલન કરતી સંબંધિતસંસ્‍થાઓ તેને લાગુ કરાવવા માટે જવાબદાર રહેશે
જેથી તમામ ઉદ્યોગોએ તાત્‍કાલિક ખાતરી કરવાની રહેશે કે, તેમના તમામ કર્મચારીઓ-કામદારો કોવિડ-19ના રસીકરણ માટે નિષ્‍ફળ થયા વિના સંપૂર્ણ રસીકરણ કરે. જો આ બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિને ગંભીરતાથી લેવામાં આવશે અને આ નિર્દેશો અને સૂચનાઓનું પાલન નહી કરનાર ઉદ્યોગો/સ્‍થાપનાઓ/કારખાનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

Related posts

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

Leave a Comment