July 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

  • પોતાના કર્મચારી-કામદારોનું વેક્‍સીનેશન કરાવવા નિષ્‍ફળ ગયેલ ઈન્‍ડસ્‍ટ્રીઝો સામે આકરા પગલાં ભરવા ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ અને દીવના યુટી એડમિનિસ્‍ટ્રેશન દ્વારા અમલમાં મુકવામાં આવનાર માર્ગદર્શિકા અને એસઓપીને આદેશ નંબર ઝપ્‍ણ્‍લ્‍/ઘ્‍બ્‍સ્‍ત્‍ઝ-19/2020/1127તારીખ 29.10.2021 દ્વારા કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે વિવિધ સંસ્‍થાઓ તેમજ ઉદ્યોગો સૂચિત કરવામાં આવ્‍યા છે.
સૂચના અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લાના તમામ કર્મચારીઆ-કામદારો માટે સંપૂર્ણ કોવિડ-19 રસીકરણ (બંને ડોઝ ફરજિયાત) કડક રીતે ફરજીયાત લેવાના રહેશે. ઉદ્યોગોનું સંચાલન કરતી સંબંધિતસંસ્‍થાઓ તેને લાગુ કરાવવા માટે જવાબદાર રહેશે
જેથી તમામ ઉદ્યોગોએ તાત્‍કાલિક ખાતરી કરવાની રહેશે કે, તેમના તમામ કર્મચારીઓ-કામદારો કોવિડ-19ના રસીકરણ માટે નિષ્‍ફળ થયા વિના સંપૂર્ણ રસીકરણ કરે. જો આ બાબતમાં કોઈપણ પ્રકારની ક્ષતિને ગંભીરતાથી લેવામાં આવશે અને આ નિર્દેશો અને સૂચનાઓનું પાલન નહી કરનાર ઉદ્યોગો/સ્‍થાપનાઓ/કારખાનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

Related posts

સેલવાસ ન.પા.ના બીજી ટર્મના પ્રમુખ તરીકે રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ પદે કિશનસિંહ પરમારની બિનહરિફ વરણી

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment