ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું બુધવારે હેલીકોપ્ટર ક્રેશ થતા પરિવાર સાથે 13ના મૃત્યુ થયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09
ધરમપુરના આવધા પ્રાથમિક શાળામાં આજે ગુરૂવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના સી.ડી.એસ. બિપિન રાવત સહિત 13ના કરુણ મોતની કરુણાંતિકા અંતર્ગત શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
બુધવારનો દિવસ દેશ માટે કાળો શોકનો દિવસ રહ્યો હતો. દિલ્હીથી તામિલનાડુ એમ-17 હેલીકોપ્ટરમાં જવા નિકળેલા ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત અને ધર્મપત્ની અને હવાઈ દળના અધિકારીઓનું હેલીકોપ્ટર ક્રેશ થતા 13ના કરુણ મોત નિપજ્યા હતા.
આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત-આઘાતમાં દેશ ગરકાવ થઈ ગયો હતો. આજે ગુરૂવારે ધરમપુર-આવધા પ્રાથમિક શાળામાં આચાર્યા પાયલબેન પટેલના નેતૃત્ત્વમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિફેન્સની જાણકારી અને સ્વ.બિપિન રાવત અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવીહતી.