December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : 70મા ‘વન્‍યજીવ સપ્તાહ’ની તા.2 થી 8 ઓક્‍ટોબર દરમિયાન દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે દમણ વન વિભાગ દ્વારા જમ્‍પોર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્‍યમથી વન્‍યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.
રેલી બાદ પરિયારી શાળાના બાળકોને એવિઅરી(પક્ષીઘર)ની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ વિદેશી પક્ષીઓ બતાવી તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પક્ષીઘરની મુલાકાતથી રોમાંચિત થઈ ઉઠયા હતા. આ પ્રસંગે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કૈલાશ ગાયકવાડ તથા પરિયારી શાળાના શિક્ષક અને વન વિભાગના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

Leave a Comment