Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : 70મા ‘વન્‍યજીવ સપ્તાહ’ની તા.2 થી 8 ઓક્‍ટોબર દરમિયાન દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે દમણ વન વિભાગ દ્વારા જમ્‍પોર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્‍યમથી વન્‍યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.
રેલી બાદ પરિયારી શાળાના બાળકોને એવિઅરી(પક્ષીઘર)ની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ વિદેશી પક્ષીઓ બતાવી તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પક્ષીઘરની મુલાકાતથી રોમાંચિત થઈ ઉઠયા હતા. આ પ્રસંગે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કૈલાશ ગાયકવાડ તથા પરિયારી શાળાના શિક્ષક અને વન વિભાગના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment