February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : 70મા ‘વન્‍યજીવ સપ્તાહ’ની તા.2 થી 8 ઓક્‍ટોબર દરમિયાન દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે દમણ વન વિભાગ દ્વારા જમ્‍પોર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્‍યમથી વન્‍યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.
રેલી બાદ પરિયારી શાળાના બાળકોને એવિઅરી(પક્ષીઘર)ની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ વિદેશી પક્ષીઓ બતાવી તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પક્ષીઘરની મુલાકાતથી રોમાંચિત થઈ ઉઠયા હતા. આ પ્રસંગે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કૈલાશ ગાયકવાડ તથા પરિયારી શાળાના શિક્ષક અને વન વિભાગના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment