Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પરિવારના વડીલ સ્‍વ.દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીના મૃત્‍યુના ચક્ષુદાન બાદ પ્રાથના સભા દરમ્‍યાન પણ રક્‍તદાનકેમ્‍પનું આયોજન કરી સ્‍વર્ગસ્‍થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેમ્‍પ દરમ્‍યાન પારડી બ્‍લડ બેન્‍કના સહયોગથી 50 જેટલા યુનિટ બ્‍લડ એકત્રિત કર્યું. આવનારા દિવસોમાં સ્‍વર્ગસ્‍થની ધાર્મિકવિધિ દરમ્‍યાન પણ રક્‍તદાન કેમ્‍પ જારી રહેશે એમ જણાવતા કુટુંબીજનો.


કિલ્લા પારડીના રહેવાસી, પાટીદાર અગ્રણી અને પાર્વતી સો મિલ તરીકે ઓળખાતી પ્રખ્‍યાત પેઢીના વડીલ દામજીભાઈ ખીમજીભાઈ દિવાણીનું ગત તારીખ 5 જૂનના રોજ આકસ્‍મિક અવસાન થયું. જેમની આજરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍વ.દામજીભાઈના મૃત્‍યુ દિને એમના પરિવારજનોએ સ્‍વર્ગસ્‍થનું ચક્ષુ દાન કરી જરૂરિયાતમંદ બે વ્‍યક્‍તિઓને દેખતા કર્યા. આવી સેવાકીય પ્રવૃત્તિને વરેલા સ્‍વ.દામજીભાઈના પરિવારજનો શ્રી વાલજીભાઈ, શિવદાસભાઈ, રવજીભાઈ, હિતેશભાઈ, લલિતભાઈ, જીતેન્‍દ્રભાઈ, યોગેશભાઈ, ભાવિકભાઈ, પુરષોત્તમભાઈ, શ્રી કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ પાર્વતી સો મિલ પરિવારે સર્વ સમાજને ઉદાહરણરૂપ કાર્ય કર્યું. પારડી બ્‍લડ બેન્‍કના સહકારથી આજરોજ પ્રાર્થના સભાના દિવસે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કર્યું. જેમાં 50 જેટલા યુનિટ એકત્રિત કર્યા. તમામ રક્‍તદાતાઓને સંભારણા રૂપે વનસ્‍પતિનો રોપો તથા છત્રી ભેટ આપવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત સ્‍વર્ગસ્‍થની ધાર્મિક વિધિના દિવસોમાં પણ રક્‍તદાન ચાલુ રહેશેએમ જણાવી વધુ યુનિટો બ્‍લડ બેન્‍કને મળશે એવું જણાવ્‍યું.
હાલમાં તમામ બ્‍લડ બેન્‍કમાં બ્‍લડની અછત પડી રહી છે ત્‍યારે કિલ્લા પારડીના પાર્વતી સો મિલ પરિવાર દ્વારા સમાજને નવી રાહ દેખાડતી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

vartmanpravah

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment