April 17, 2026
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગરમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 ગાંધીનગરમાં આજે સોમવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. વિવિધ રાજ્‍યોના 7 મુખ્‍યમંત્રી અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં વિધિવત શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. જેમાં નવા મંત્રી મંડળની રચના થઈ હતી. તેમાં મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍ય કક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને રાજ્‍યપાલ શ્રી દેવવ્રતએ શપથ લેવડાવ્‍યા હતા. નવી રચાયેલી સરકારમાં વિજેતા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા અને ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા છે.
વિધાનસભા સામાન્‍ય ચૂંટણી પરિણામમાં ભાજપે પ્રચંડ બહુમતિ સાથે 156 બેઠકો જીતી લીધી હતી. તે પછી નવા મંત્રીઓ સરકારમાં કોણ કોણ હશે તેના રાજકીય ગણિતો અને ધારણાનો દોર સમગ્ર રાજ્‍યમાં પ્રવર્તવો શરૂ થયો હતો. પરંતુ એ સસ્‍પેન્‍સનો આજે સોમવારે અંત આવ્‍યો હતો. નવી સરકારની વિધિવત જાહેર શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍યમંત્રી સહિત 9 કેબિનેટ મંત્રી તથા 8 રાજ્‍યકક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને વિવિધ ખાતાઓની ફાળવણી થઈ હતી. વાપી અને વલસાડ જિલ્લો વધુ એકવાર નસીબદાર રહ્યો છે. કારણ કે સી.એમ. ભુપેન્‍દર પટેલ બાદ નેક્‍સ ટુ તરીકે પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ વધુ એકવાર ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી બન્‍યા છે. જો કે છેલ્લે સુધી આશા હતી કે વલસાડ જિલ્લાને બે મંત્રી મળશે પરંતુ એ આશા આજના જાહેર થયેલા મંત્રીમંડળમાં અધૂરી રહી છે.

Related posts

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment