April 18, 2026
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગરમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 ગાંધીનગરમાં આજે સોમવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. વિવિધ રાજ્‍યોના 7 મુખ્‍યમંત્રી અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં વિધિવત શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. જેમાં નવા મંત્રી મંડળની રચના થઈ હતી. તેમાં મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍ય કક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને રાજ્‍યપાલ શ્રી દેવવ્રતએ શપથ લેવડાવ્‍યા હતા. નવી રચાયેલી સરકારમાં વિજેતા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા અને ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા છે.
વિધાનસભા સામાન્‍ય ચૂંટણી પરિણામમાં ભાજપે પ્રચંડ બહુમતિ સાથે 156 બેઠકો જીતી લીધી હતી. તે પછી નવા મંત્રીઓ સરકારમાં કોણ કોણ હશે તેના રાજકીય ગણિતો અને ધારણાનો દોર સમગ્ર રાજ્‍યમાં પ્રવર્તવો શરૂ થયો હતો. પરંતુ એ સસ્‍પેન્‍સનો આજે સોમવારે અંત આવ્‍યો હતો. નવી સરકારની વિધિવત જાહેર શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍યમંત્રી સહિત 9 કેબિનેટ મંત્રી તથા 8 રાજ્‍યકક્ષાના મંત્રી સહિત 17 પ્રધાનોને વિવિધ ખાતાઓની ફાળવણી થઈ હતી. વાપી અને વલસાડ જિલ્લો વધુ એકવાર નસીબદાર રહ્યો છે. કારણ કે સી.એમ. ભુપેન્‍દર પટેલ બાદ નેક્‍સ ટુ તરીકે પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ વધુ એકવાર ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી બન્‍યા છે. જો કે છેલ્લે સુધી આશા હતી કે વલસાડ જિલ્લાને બે મંત્રી મળશે પરંતુ એ આશા આજના જાહેર થયેલા મંત્રીમંડળમાં અધૂરી રહી છે.

Related posts

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment