April 20, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

શરદ વ્‍યાસ, પ્રફુલ્લ શુકલ, પી.ડી.જી. વણઝારા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
જલારામ ધામ ફલધરામાં સનતાન ધર્મના મનન ચિંતન અને ઉત્‍કર્ષ માટે એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં અગ્રણી કથાકારો, સંતો અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા.
રાજ્‍ય સત્તા સાથે હિંદુ સત્તા પણ જરૂરી છે. સમાજમાં સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી કરવા અને વિકાસ કરવા માટે જાણીતા જલારામ ધામ ફળધરા ખાતે સંતો, પૂ.કથાકારોની એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જાણીતા કથાકારશ્રી શરદભાઈ વ્‍યાસ, શ્રી પ્રફુલ્લભાઈ શુકલ, શ્રી ચંન્‍દ્ર શુકલ, લંડનથી શ્રી મિતેશભાઈ જોષી, પી.ડી.જી. વણઝારા સહિત આગેવાન સંતો, સંસ્‍થા સંચાલક શ્રી કુલસીંગભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મીટિંગમાં સંતોએ, કથાકારોએ સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી અને જતન કેમ કરવું તેની ચર્ચા-વિચારણા અને વિમર્સ કર્યો હતો. આ પ્રસંગે ડી.જી.પી. વણઝારાએ જણાવ્‍યું હતું કે, 23 ડિસેમ્‍બરના રોજ અમદાવાદ સોલા ઉમિયાધામમાં મહાકુંભ યોજાવાનો છે તેમાં સર્વએ પધારી ભાગ લેવાનું તેઓએ આહવાન કર્યું હતું.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

Leave a Comment