October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

શરદ વ્‍યાસ, પ્રફુલ્લ શુકલ, પી.ડી.જી. વણઝારા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
જલારામ ધામ ફલધરામાં સનતાન ધર્મના મનન ચિંતન અને ઉત્‍કર્ષ માટે એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં અગ્રણી કથાકારો, સંતો અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા.
રાજ્‍ય સત્તા સાથે હિંદુ સત્તા પણ જરૂરી છે. સમાજમાં સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી કરવા અને વિકાસ કરવા માટે જાણીતા જલારામ ધામ ફળધરા ખાતે સંતો, પૂ.કથાકારોની એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જાણીતા કથાકારશ્રી શરદભાઈ વ્‍યાસ, શ્રી પ્રફુલ્લભાઈ શુકલ, શ્રી ચંન્‍દ્ર શુકલ, લંડનથી શ્રી મિતેશભાઈ જોષી, પી.ડી.જી. વણઝારા સહિત આગેવાન સંતો, સંસ્‍થા સંચાલક શ્રી કુલસીંગભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મીટિંગમાં સંતોએ, કથાકારોએ સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી અને જતન કેમ કરવું તેની ચર્ચા-વિચારણા અને વિમર્સ કર્યો હતો. આ પ્રસંગે ડી.જી.પી. વણઝારાએ જણાવ્‍યું હતું કે, 23 ડિસેમ્‍બરના રોજ અમદાવાદ સોલા ઉમિયાધામમાં મહાકુંભ યોજાવાનો છે તેમાં સર્વએ પધારી ભાગ લેવાનું તેઓએ આહવાન કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

Leave a Comment