(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16
દાનહની સરકારી બેંકના કર્મચારીઓએ પ્રાાઇવેટિકરણના વિરોધમાંબે દિવસીય હડતાલ રાખવામા આવી છે.
બેંકના અધિકારી અને કર્મચારીઓના જણાવ્યા અનુસાર જો સરકાર દ્વારા સરકારી બેન્કોને પ્રાઇવેટ કરી દેશે તો અમારી નોકરી પર ખતરો ઉભો થશે. બીજુએ કે જો બેંકોનું પ્રાઈવેટીકરણ થઈ જશે તો નાના ખાતેદારોને પણ તકલીફ પડશે. નાના મજૂરો ફેરી કરતા લોકો નાના ધંધાદારીઓ જેઓએ ફરજિયાત ઓછામા ઓછુ પાંચ હજાર રૂપિયાનું બેલેન્સ મેન્ટેન કરવું પડશે જે સામાન્ય માણસ કયાંથી કરી શકશે. જેથી સમગ્ર દેશમા થઈ રહેલી બે દિવસીય હડતાળમાં જોડાઈને અમારા હક્ક અને સામાન્ય ગ્રાહકોના માટે સરકારી બેંકને પ્રાઇવેટિકરણના વિરોધમા બે દિવસીય હડતાળમા જોડાયા છે.
બે દિવસ બેન્ક હડતાલ અને શનિ-રવિ બે દિવસ રજા હોવાને કારણે ચાર દિવસ સુધી બેન્ક બંધ રહેશે જેના કારણે ખાતેદારોને ઘણી જ તકલીફ પડશે.