December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 31 : 2023ની 31મી ડિસેમ્‍બરે અને 2024ના નવા વર્ષની ઉજવણી નિમિત્તે કોઈ અનિચ્‍છીય બનાવ નહીં બને તે માટે અને દારૂ ઢીંચીને વાહનો ચલાવનારા ચાલકો સામે પગલાં ભરવા કેન્‍દ્ર શાસિત દાદરા નગર હવેલી અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે પ્રદેશની વિવિધ સીમાઓ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. જેમાં પીપરીયા પુલના લવાછા તરફના છેડા પર, નરોલી ચેકપોસ્‍ટ અને દાદરા ચેકપોસ્‍ટની આગળ તેમજ દાનહની રાંધા પાસે ગુજરાત સીમાડાએ ચાંપતો પહેરો ગોઠવ્‍યો હતો.
દાદરા નગર હવેલીમાંથી ગુજરાત તરફ આવતા-જતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. દરમિયાન વ્‍યક્‍તિઓ ‘ડ્રન્‍ક એન્‍ડ ડ્રાઈવ’ કરી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પોલીસ દ્વારા મશીનથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
થર્ટીફર્સ્‍ટના દિવસે દારૂ નહીં પીવા લોકોને ગુજરાત પોલીસ દ્વારા ટકોર પણ કરીહતી અને સૂચના પણ આપવામાં આવી હતી કે જો કોઈ ગુજરાતની હદમાં નશાની હાલતમાં પકડાશે, તો તેઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહિ આવશે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. છતાંપણ ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ એ કહેવતને સાર્થક કરતા હોય એ રીતે લોકો મનમાની કરી ફક્‍ત એક દિવસ નશો નહીં કરવાના બદલે તે જ દિવસે નશો કરી પોલીસના હાથે ઝડપાયા હતા. વિવિધ સીમાઓ ઉપર કેટલાક વાહનોમાંથી દારૂની બોટલો પણ પકડાવા પામી હતી તેવા સામે પોલીસે કડક હાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

Related posts

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment