Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 10

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહમંત્રાલયે સ્‍વીકાર કરી તેમની કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍તિ કરી હોવાનો ઓફિસ મેમોરેન્‍ડમ આજે ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે.

દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે શ્રી સંદીપ કુમાર સિંઘને પ્રશાસન દ્વારા રિલીવ કરાયા બાદ તેઓ પોતાની નવી જવાબદારી સંભાળશે.

શ્રી સંદીપ કુમાર સિંઘને સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર રિલીવ કરવો પડશે. કારણ કે, જો ત્રણ સપ્તાહની અંદર રિલીવ નહીં કરાયા તો કાર્મિક અને તાલીમ વિભાગના તા.17મી ઓગસ્‍ટ, 2005ના સરક્‍યુલર મુજબ સેન્‍ટ્રલ સ્‍ટાફિંગ સ્‍કીમની પ્રક્રિયામાંથી તેમને દૂર કરવામાં આવશે.

Related posts

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ જાતીય શોષણ સામેના કાયદા અંગે બે દિવસીય શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

Leave a Comment