Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 10

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહમંત્રાલયે સ્‍વીકાર કરી તેમની કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍તિ કરી હોવાનો ઓફિસ મેમોરેન્‍ડમ આજે ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્‍યો છે.

દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે શ્રી સંદીપ કુમાર સિંઘને પ્રશાસન દ્વારા રિલીવ કરાયા બાદ તેઓ પોતાની નવી જવાબદારી સંભાળશે.

શ્રી સંદીપ કુમાર સિંઘને સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર રિલીવ કરવો પડશે. કારણ કે, જો ત્રણ સપ્તાહની અંદર રિલીવ નહીં કરાયા તો કાર્મિક અને તાલીમ વિભાગના તા.17મી ઓગસ્‍ટ, 2005ના સરક્‍યુલર મુજબ સેન્‍ટ્રલ સ્‍ટાફિંગ સ્‍કીમની પ્રક્રિયામાંથી તેમને દૂર કરવામાં આવશે.

Related posts

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

Leave a Comment