October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

  મદરેસાના વિદ્યાર્થીઓને ઈનામ અને ધાબળા આપી દેશદાઝ માટે પણ કરેલા પ્રેરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણ જિલ્લાની સૌથી મોટી મુસ્‍લિમ સંસ્‍થા ‘દમણ મુસ્‍લિમ એસોસિએશન’ દ્વારા આજે દમણ-દીવના 61માં મુક્‍તિ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10:30 કલાકે માંજરાઝ પાર્કિંગ, ખારીવાડ ખાતે મુક્‍તિ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
મુસ્‍લિમ સમાજના વડીલ અલ્‍હાજ અબ્‍દુલ અઝીઝ (વાહીદ ટ્રાન્‍સપોર્ટ, દમણવાલા) એ દમણ મુસ્‍લિમ એસોસિએશનના પ્રમુખ હાજી શ્રી ખુર્શીદ માંજારાની સાથે સન્‍માનપૂર્વક ભારતના ગૌરવનું પ્રતિક ત્રિરંગો લહેરાવી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જેમાં મુસ્‍લિમ સમાજના લોકોએ અને મદરેસાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
સદર હાજી શ્રી ખુર્શીદ માંજરાએ આઝાદી અપાવનાર બહાદુર સપૂતોને યાદ કરીને દમણ-દીવના લોકોને 61મા મુક્‍તિ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી અને નવી પેઢીને માદરેવતન અને વતનપરસ્‍તી અંગે શિખામણ આપી હતી.
દમણ અને દીવના મુક્‍તિ દિવસની ઉજવણી દરમિયાન મદરેસાના વિદ્યાર્થીઓને ઈનામો અને ધાબળા આપવામાં આવ્‍યા હતા. દમણ મુસ્‍લિમ એસોસિએશન દ્વારા મુસ્‍લિમ સમાજના લોકોમાં એકતા, પરસ્‍પર સંવાદ અને રાષ્‍ટ્રીય ભાવનાના સંચારમાટે 15 ઓગસ્‍ટ, 26 જાન્‍યુઆરી, 19 ડિસેમ્‍બર જેવા રાષ્‍ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

Leave a Comment