February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

ટ્રાફિક અને ગંદકીની સમસ્‍યાનું નિરાકરણ થતા વેપારી આલમને રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં બની રહેલ નવા રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી હાલમાં ચોમાસાને લઈ ઠપ્‍પ પડી છે ત્‍યારે પીડબલ્‍યુડી દ્વારા લગાડાયેલ બેરીકેટ હટાવવા માટે સ્‍થાનિક વેપારીઓએ ડીવાયએસપીને રજૂઆત કરી હતી. પોલીસે સ્‍થળ મુલાકાત કરીને બેરીકેટ હટાવવાની સુચના આપી હતી.
વાપી દમણને જોડતો નવો રેલવે ફલાય ઓવરબ્રીજ તથા ઝંડાચોક સુધીનો રેલવે અંડરપાસ ઘણા સમયથી નિર્માણાધિન છે. ચોમાસાને લઈ કામકાજ ઠપ્‍પ થઈ ગયેલ છે પરંતુ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા લગાડવામાં આવેલ બેરીકેટ અને સરસામાન યથાવત પડી રહેલો હોવાથી સ્‍થાનિક વેપારીઓ માટે સમસ્‍યા બની રહ્યો હતો. ટ્રાફિક અને ગંદકી થઈ રહી હતી તેથી ડીવાયએસપી બી.એન. દવેને વેપારીઓએ સમસ્‍યા અંગે રજૂઆત કરી હતી. પોલીસે સ્‍થળ મુલાકાત લઈ સમસ્‍યાનો રસ્‍તો કાઢવા પી.ડબલ્‍યુ.ડી. અનેકોન્‍ટ્રાક્‍ટરને જરૂરી સુચના આપી હતી. સમસ્‍યાનું નિરાકરણ કરવા પી.આઈ. કે.જે. રાઠોડ, પાલિકા ઈજનેર સહિત કોન્‍ટ્રાક્‍ટર વિગેરે હાજર રહ્યા હતા તેથી બેરીકેટ અને સામાન હટાવવા પોલીસે સુચના આપી હતી. ગંદકી અને ટ્રાફિકની સમસ્‍યાથી વેપારીઓને રાહત મળશે.

Related posts

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment