March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

ટ્રાફિક અને ગંદકીની સમસ્‍યાનું નિરાકરણ થતા વેપારી આલમને રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં બની રહેલ નવા રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી હાલમાં ચોમાસાને લઈ ઠપ્‍પ પડી છે ત્‍યારે પીડબલ્‍યુડી દ્વારા લગાડાયેલ બેરીકેટ હટાવવા માટે સ્‍થાનિક વેપારીઓએ ડીવાયએસપીને રજૂઆત કરી હતી. પોલીસે સ્‍થળ મુલાકાત કરીને બેરીકેટ હટાવવાની સુચના આપી હતી.
વાપી દમણને જોડતો નવો રેલવે ફલાય ઓવરબ્રીજ તથા ઝંડાચોક સુધીનો રેલવે અંડરપાસ ઘણા સમયથી નિર્માણાધિન છે. ચોમાસાને લઈ કામકાજ ઠપ્‍પ થઈ ગયેલ છે પરંતુ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા લગાડવામાં આવેલ બેરીકેટ અને સરસામાન યથાવત પડી રહેલો હોવાથી સ્‍થાનિક વેપારીઓ માટે સમસ્‍યા બની રહ્યો હતો. ટ્રાફિક અને ગંદકી થઈ રહી હતી તેથી ડીવાયએસપી બી.એન. દવેને વેપારીઓએ સમસ્‍યા અંગે રજૂઆત કરી હતી. પોલીસે સ્‍થળ મુલાકાત લઈ સમસ્‍યાનો રસ્‍તો કાઢવા પી.ડબલ્‍યુ.ડી. અનેકોન્‍ટ્રાક્‍ટરને જરૂરી સુચના આપી હતી. સમસ્‍યાનું નિરાકરણ કરવા પી.આઈ. કે.જે. રાઠોડ, પાલિકા ઈજનેર સહિત કોન્‍ટ્રાક્‍ટર વિગેરે હાજર રહ્યા હતા તેથી બેરીકેટ અને સામાન હટાવવા પોલીસે સુચના આપી હતી. ગંદકી અને ટ્રાફિકની સમસ્‍યાથી વેપારીઓને રાહત મળશે.

Related posts

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી હરિયા પાર્ક શોપમાંથી સ્‍નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્‍યા

vartmanpravah

Leave a Comment