એસ.એસ.આર.બી. હોસ્પિટલ વાંસદામાં યોજાયેલ કેમ્પમાં 27 દર્દીઓના મોતિયાબીંદ નાખવામાં આવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20
લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસ દ્વારા ગતરોજ એસ.એસ.આર.બી. હોસ્પિટલમાં નિઃશુલ્ક મોતિયાબિંદના ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં જરૂરીયાતમંદ 23 જેટલા દર્દીઓને મોતિયાબિંદ નાખવામાંઆવ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસ છેલ્લા બે વર્ષથી કાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં નિઃશુલ્ક મોતિયા ઓપરેશનની માનવતા ભરી કામગીરી કરી રહી છે. ગત તા.19ના રોજ એસ.એસ.આર.બી. હોસ્પિટલ વાંસદા ખાતે 23મા મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરીયાતમંદ 27 આંખના દર્દીઓના મોતિયાબિંદ ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતા.
આ પ્રોજેક્ટના સ્પોન્સર હતા. પરવેશજી ગર્ગ દિલ્હી. કાર્યક્રમમાં શ્રી લાયન ઉમેશ સંઘવી, લાયન શ્રી હર્ષદભાઈ શાહ, ક્લબ પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સહિતચ ક્લબના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.