December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

વાંકી નદી પુલ પર કાર ટ્રક ભટકાયા, ખડકી હાઈવેપર કારના બે ટાયર ફાટયા, સુગર બ્રિજ ખાડામાં પટકાઈ ટ્રક સાથે અથડાઈ ધસડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. હાઈવે ઉપર પડેલા ખાડાઓ અને પાણી ભરાવના લીધે છેલ્લા 24 કલાકમાં અકસ્‍માતના ત્રણ બનાવો વલસાડથી વાપી વચ્‍ચે હાઈવે ઉપર બન્‍યા છે.

ત્રણ દિવસથી સતત વરસાદ વલસાડ જિલ્લાને ઘમરોળી રહ્યો છે. તેની આડ અસર અને ખાનાની ખરાબીની ભેટ ચોમેર મળી રહી છે. તેમાં નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. ઠેર ઠેર બેસુમાર ખાડા પડી જતા હાઈવે યમદૂત બની જવા જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ખડકી હાઈવે ઉપર પડેલા તોતિંગ ખાડામાં કાર પટકાતા બે ટાયર ફાટી જતા અકસ્‍માત સર્જાયો હતો, તો બીજો બનાવ વાંકી નદી પુલ ઉપર હાઈવે ખાડાને લીધે કાર અને ટ્રક ભટકાયા હતા. કાર નં.એમએચ 43 એટી 4375 લઈ રીતેશ જોષી ઉદવાડા આવી રહ્યો હતો ત્‍યારે ખાડામાં કાર કન્‍ટેનર નં.એચઆર 55 એજે 6703 સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત થયો હતો. એર બેગ ખુલી જતા ચાલક રીતેશ જોષીનો ચમત્‍કારીક બચાવ થયો હતો. ત્રીજો બનાવ વલસાડ સુગર મિલ ઓવરબ્રિજ હાઈવે ઉપર પાણી ભરાવાને લઈ કાર પટકાતા ચાલકે સ્‍ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાઈ કાર 100 મીટર ધસડાઈ હતી. જો કે ચાલકનોબચાવો થયો હતો. ત્રણેય અકસ્‍માતો હાઈવે ઉપર પડેલા ખાડાઓને લીધે બન્‍યા હતા. હાઈવે ઓથોરિટી હજુ પણ ગાઢ નિંદ્રામાં છે. વધુ અકસ્‍માતની રાહ જોઈ રહી છે.

Related posts

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

વલસાડ ગોરગામમાં અયોધ્‍યા પ્રાણ પ્રતિષ્‍ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

Leave a Comment