April 18, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સલવાવ, તા.21
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા તારીખ 20/12/2021 સોમવારના રોજ આયોજિત ઇન્‍ટર યુનિવર્સીટી સ્‍પોર્ટ્‍સ ગર્લ્‍સ ખો-ખોની ટીમની સ્‍પર્ધાની પસંદગીનું આયોજન થયું હતું. આ ગર્લ્‍સ ખો-ખોની સ્‍પર્ધા કલોલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્‍ડ રીસર્ચ સેન્‍ટર, કલોલ, ગાંધીનગર ખાતે રમાડવામાં આવી હતી. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પ્રથમ વર્ષ બી. ફાર્મસીની 6 વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીની ટીમની પસંદગી માટે ભાગ લીધો હતો અને તેમાંથી 3 વિદ્યાર્થીનીઓ ભક્‍તિ આર. પટેલ, દિયા બી. પટેલ અને ઈશા એમ. બહાલીવાલાની યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઇ હતી.
હવે આ વિદ્યાર્થીનીઓ ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટીના પ્‍લેટફોર્મ પર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માટે પ્રતિનિધિત્‍વ કરશે.જે સંસ્‍થા માટે તેમજ કોલેજ માટે ગૌરવવંતી બાબત છે આ સ્‍પર્ધા માટે વિદ્યાર્થીનીઓની સમગ્ર ટ્રેનિંગ તેમજ સંપૂર્ણ માર્ગદર્શન અને તૈયારી ફીઝીકલ ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ દ્વારા આપવામાં આવ્‍યું હતું. જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી અને હવે પછીની થનાર ઓલ ઇન્‍ડિયા યુનિવર્સિટીની સ્‍પર્ધા માટે વિજયી થવા માટેના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી ભાનુજ્‍યોત સ્‍કૂલ ખાતે ટીચર-ડે ઉજવાયો 

vartmanpravah

Leave a Comment