(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : ભારતના ઐતિહાસિક ચન્દ્રયાન-3 કાર્યક્રમ સંબંધિત વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી માટે દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી ઈસરોએ કરી હતી. જેમાં જવાહર નવોદય વિદ્યાલય સેલવાસની ધોરણ 10ની વિદ્યાર્થીની કુ. દીપા લોઢેને ભાગ લેવાનો અવસર મળ્યો છે. જે ઘણો ગર્વનો અવસર છે. આ અવસરે શાળાના આચાર્ય શ્રી વી.એસ.કુશવાહ અને શાળા પરિવારે શુભકામના આપી હતી.
કુ. દીપા લોઢેને ઈસરો દ્વારા આમંત્રિત કરાતા સંઘપ્રદેશમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે.