(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્યારેસત્યનારાયણની કથાનું પણ મહત્વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા યજ્ઞ અને ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં આવેલા જલારામ બાપા મંદિરે દર ગુરુવારે મહા પ્રસાદનું આયોજન થતું હોય છે. દર વર્ષે રામ નવમીએ ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્યું છે. જલારામ મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.