Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

  • શોભાયાત્રા અને મહાપ્રસાદમાં સેંકડો ભાવિકભક્‍તોએ લીધેલો લાભ

  • વરસો પહેલા સ્‍વાધ્‍યાયના પ્રણેતા પ.પૂ. પાંડુરંગ શાષાી-દાદાના આગમનથી પાવન બનેલી પટલારાની ભૂમિ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના આગમનથી ફરી દીપી ઉઠી હોવાનો વ્‍યક્‍ત થયેલો ભાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજે મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે નિકળેલી શોભાયાત્રામાં સંપૂર્ણ પટલારા સહિત આજુબાજુવિસ્‍તારના સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા) પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમનો ચિતાર આપતા ટ્રસ્‍ટી શ્રી સુભાષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વરસો પહેલા પ.પૂ. પાંડુરંગ શાષાીના આગમનથી પાવન થયેલી પટલારાની ભૂમિ આજે ત્‍યારબાદ ફરી વખત પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીના આગમનથી દીપી ઉઠી છે. તેમણે ઉપસ્‍થિત તમામ લોકોનો આભાર પણ પ્રકટ કર્યો હતો.
આ પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં પણ મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પાંચમા પાટોત્‍સવની ઉજવણીમાં સમગ્ર પટલારા ગામ ભક્‍તિમય બની ગયું હતું.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

Leave a Comment