Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

150 કરતા વધુ લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.રર
આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા મગરવાડા, પરિયારી, દમણવાડા અને પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના લોકો માટે મગરવાડા પંચાયત ઘર ખાતે આયોજીત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો અને પ્રશાસનના ‘સુશાસન સપ્તાહ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ના અનુરૂપ જિલ્લા પ્રશાસને ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ ગ્રામવાસીઓને મદદરૂપ બન્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મામલતદાર કાર્યાલય દ્વારા મગરવાડાના ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમમાં વિવિધ સર્ટીફિકેટો સ્‍થળ ઉપરજ આપવામાં આવ્‍યા હતા અને સીટી સર્વે દ્વારા જગ્‍યાના ડિમાર્કેશન માટે સાઈટ પ્‍લાનની અરજી પણ સ્‍વીકારી હતી. આ ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમમાં ફૂડ અને સિવિલ સપ્‍લાય, ઈલેક્‍ટ્રીસીટી, જિલ્લા પંચાયત(પેન્‍શન યોજના), ટ્રાન્‍સપોર્ટ અને હેલ્‍થ વિભાગે પણ ભાગ લીધો હતો. જેમાં હેલ્‍થ ચેકઅપ, વેક્‍સિનેશન અને આયુષ્‍માન ભારત કાર્ડ લગભગ 150 જેટલા વ્‍યકિતઓને આ કાર્યક્રમથી લાભાન્‍વિત કરાયા હતા.
દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કર સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્‍થિત રહી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા અને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએપણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, મગરવાડાના સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમા અને પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંકિતબેન પટેલે પણ મુલાકાત લઈ ગ્રામવાસીઓને સમજણ આપી હતી.
ચારેય ગ્રામ પંચાયતોના સેક્રેટરીઓએ પણ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment