February 5, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

  • ગોવાથી 2015 બેચના આઈએસ અધિકારી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્‍ય પ્રસાદનું થનારૂ આગમન

  • સંઘપ્રદેશના આઈપીએસ અધિકારી શરદ દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી, તેમના સ્‍થાને 2015 બેચના આઈપીએસ અધિકારી ફુલજેલે પિયુષ નિરાકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.રર
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીના જારી કરેલા આદેશમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટ્રાન્‍સપોર્ટ સચિવ તરીકે ફરજ બજાવી રહેલા ર011 બેચના આઈએસ અધિકારી શ્રી દાનિસ અસરફ અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનની દિલ્‍હી બદલીના આદેશ જારી કરાયા છે.
દાનહ અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના આઈપીએસ અધિકારી શ્રી શરદ ભાસ્‍કર દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી કરાઈ છે.
2015 બેચના આઈએસ અધિકારી સુશ્રી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્‍ય પ્રસાદની ગોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે બદલી કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશમાં શિક્ષણના સુધારા માટે શિક્ષણ સચિવ તરીકે શ્રીમતી પૂજા જૈને મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેમની બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા થયા બાદ હવે સંઘપ્રદેશ પ્રશાસન તેમને રીલીવ કરી તેમના સ્‍થાને અન્‍ય અધિકારીઓની નિયુક્‍તિ કરી શકે છે.

Related posts

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

સેલવાસ ખાતે આયોજીત સંઘપ્રદેશ સ્‍તરીય અંડર-17 બોયઝ અને ગર્લ્‍સ ખો-ખો સ્‍પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ માંદોની અને સિંદોની ગામની મુલાકાત લઈ પીવાના પાણી સહિતની વિવિધ સમસ્‍યાથી રૂબરૂ થયા : મુલાકાત દરમિયાન ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને જિ.પં.ના સીઈઓ અપૂર્વ શર્મા પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment