April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

જુનાગઢ આર.ટી.ઓ.માં તપાસ ચાલુ છે ત્‍યારે વધુ તપાસમાં વલસાડ આર.ટી.ઓ. જોડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અત્‍યારે જુનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની લીલી પરિક્રમા ચાલીરહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્‍ધાળુ લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ ગીરનાર પહોંચી રહ્યા છે. આ પરિક્રમા દરમિયાન જુનાગઢમાં એક જ નંબર પ્‍લેટ ધરાવતી બે બસ જુનાગઢ આર.ટી.ઓ.ને મળી આવી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ નંબર પ્‍લેટ ધરાવતી ત્રીજી બસ મળી આવતા વધુ તપાસના ચ્‍કરો ગતિમાન કરવામાં આવ્‍યા છે.
ગીરનાર પર્વતની લીલી પરિક્રમા સુધી શ્રધ્‍ધાળુને પહોંચાડવા માટે ગુજરાત ભરની ખાનગી લક્‍ઝરી બસો દોડાદોડી કરી રહી છે તે દરમિયાન જુનાગઢ આર.ટી.ઓ.ને જીજે 11 ઓ 0663 નંબર ધરાવતી બે લક્‍ઝરી બસો અલગ અલગ નામ ટ્રાવેલ્‍સની મળી આવી હતી. જેની ચાંપતી તપાસ જુનાગઢ આર.ટી.ઓ.એ તુરંત હાથ ધરી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ જીજે 11 ઓ 0663 નંબર વાળી લક્‍ઝરી બસ પણ મળી આવી છે તેથી વલસાડ આર.ટી.ઓ. પણ તપાસમાં જોડાઈ છે. રહસ્‍યમય અને તપાસની એજ બાબત છે કે એક જ નંબર પ્‍લેટ ધરાવતી ત્રણ ત્રણ બસો દોડી કેવી રીતે શકે? અલબત્ત આ પ્રશ્નનો જવાબ સંપુર્ણ તપાસ બાદ આખા કૌભાંડનો પર્દાફાશ થશે એવું મનાઈ રહ્યું છે.

Related posts

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

આજે જનજીવન તથા પૃથ્‍વી માટે સંપર્ક કડી સમાન અર્થ અવરની ઉજવણી કરાશે

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

Leave a Comment