July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમા એક જ નંબર બે લક્‍ઝરી બસ મળી આવ્‍યા બાદ એજ નંબરની ત્રીજી બસ વલસાડ આરટીઓને મળી આવી

જુનાગઢ આર.ટી.ઓ.માં તપાસ ચાલુ છે ત્‍યારે વધુ તપાસમાં વલસાડ આર.ટી.ઓ. જોડાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: અત્‍યારે જુનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની લીલી પરિક્રમા ચાલીરહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્‍ધાળુ લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ ગીરનાર પહોંચી રહ્યા છે. આ પરિક્રમા દરમિયાન જુનાગઢમાં એક જ નંબર પ્‍લેટ ધરાવતી બે બસ જુનાગઢ આર.ટી.ઓ.ને મળી આવી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ નંબર પ્‍લેટ ધરાવતી ત્રીજી બસ મળી આવતા વધુ તપાસના ચ્‍કરો ગતિમાન કરવામાં આવ્‍યા છે.
ગીરનાર પર્વતની લીલી પરિક્રમા સુધી શ્રધ્‍ધાળુને પહોંચાડવા માટે ગુજરાત ભરની ખાનગી લક્‍ઝરી બસો દોડાદોડી કરી રહી છે તે દરમિયાન જુનાગઢ આર.ટી.ઓ.ને જીજે 11 ઓ 0663 નંબર ધરાવતી બે લક્‍ઝરી બસો અલગ અલગ નામ ટ્રાવેલ્‍સની મળી આવી હતી. જેની ચાંપતી તપાસ જુનાગઢ આર.ટી.ઓ.એ તુરંત હાથ ધરી હતી. ત્‍યાં વલસાડ આર.ટી.ઓ.ને એજ જીજે 11 ઓ 0663 નંબર વાળી લક્‍ઝરી બસ પણ મળી આવી છે તેથી વલસાડ આર.ટી.ઓ. પણ તપાસમાં જોડાઈ છે. રહસ્‍યમય અને તપાસની એજ બાબત છે કે એક જ નંબર પ્‍લેટ ધરાવતી ત્રણ ત્રણ બસો દોડી કેવી રીતે શકે? અલબત્ત આ પ્રશ્નનો જવાબ સંપુર્ણ તપાસ બાદ આખા કૌભાંડનો પર્દાફાશ થશે એવું મનાઈ રહ્યું છે.

Related posts

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

vartmanpravah

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

વલસાડ અને પારડીના કરાટે સ્‍ટુડન્‍ટ્‍સે કાટા અને કુમિટે ઈવેન્‍ટમાં 17 મેડલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment